Friday, June 5, 2026
HomeGujaratAhmedabadમ્યુનિ.તંત્રને વ્યાજમાફી સ્કીમ ફળી, ૫૩ દિવસમાં ૧.૯૪ લાખ કરદાતાઓેએ ૨૩૬.૧૪ કરોડ ટેકસ...

મ્યુનિ.તંત્રને વ્યાજમાફી સ્કીમ ફળી, ૫૩ દિવસમાં ૧.૯૪ લાખ કરદાતાઓેએ ૨૩૬.૧૪ કરોડ ટેકસ ભરપાઈ કરી દીધો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ ૧૨૮ કરોડથી વધુની વસૂલાત,૧૪ દિવસમાં ૨૧ હજારથી વધુ મિલકત સીલ

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા નવતરપ્રયોગ હાથ ધરતા ૬ જાન્યુઆરીથી તબકકાવાર વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકતા ૫૩ દિવસમાં કુલ ૧,૯૪,૨૬૩ કરદાતાઓએ રુપિયા ૨૩૬.૧૪ કરોડનો મિલકતવેરો ભરપાઈ કરી તેમનુ ટેકસ માંગણુ શૂન્ય કરતા મ્યુનિ.ને વ્યાજમાફી સ્કીમ ફળી છે.૧૪ ફેબુ્રઆરીથી તંત્ર તરફથી બાકી મિલકતવેરો વસૂલવા વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરવામાં આવી છે.આ સ્કીમ હેઠળ રુપિયા ૧૨૮.૨૨ કરોડની વસૂલાત કરવામાં આવી છે.૧૪ ફેબુ્આરીથી ૨૮ ફેબુ્આરી સુધીમાં શહેરમાં કુલ ૨૧,૪૯૯ મિલકત સીલ કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૧ વર્ષ બાદ ૧૦૦ ટકા વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવામાં આવી છે.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે કહયુ,બાકી મિલકતવેરાની વસૂલાત કરવા તમામ ઝોનના અધિકારીઓ તેમના ઝોનમાં એક દિવસ સવારથી સાંજ ફીલ્ડમાં સીલીંગ ઝુંબેશ અને રીકવરી ઝુંબેશમાં જોડાયા છે આ કામગીરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા છે.મોટી રકમનો મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકતના પાણી અને ડ્રેનેજના જોડાણ કાપવામાં આવી રહયા છે.પૂર્વઝોનમાં વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા છે.ઉપરાંત કલેકટર કચેરીનો સંપર્ક કરી મોટી રકમ ભરપાઈ નહીં કરતા કરદાતાઓની મિલકત સામે બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે.સાત ઝોનમાં ૭૬ કરદાતાઓની મિલકતની હરાજી કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.આ પૈકીની ૧૮ મિલકતમાંથી  ત્રણ મિલકતનો પુરો ટેકસ ભરપાઈ કરાયો છે.સાત કરદાતાઓએ એડવાન્સ ચેક આપ્યો છે.ત્રણ મિલકતના પાણી-ડ્રેનેજના જોડાણ કાપવામાં આવ્યા છે.પાંચ મિલકતમાં અરજીના નિકાલ બાદ ટેકસની ભરપાઈ કરવામાં આવશે.અન્ય ૫૮ મિલકતના કરદાતાઓને કલમ-૪૨-૪૩ મુજબની નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે જે પુરી થયા બાદ હરાજી સુધીની પ્રક્રીયા કરવામાં આવશે.૧૪ ફેબુ્આરીથી ૨૮ ફેબુ્આરી સુધીમાં મધ્યઝોનમાં ૨૨૧૫,ઉત્તરઝોનમાં ૨૨૪૧, દક્ષિણઝોનમાં ૨૭૩૮ મિલકત સીલ કરવામાં આવી છે.ઉપરાંત પૂર્વ ઝોનમાં ૨૩૬૮,પશ્ચિમઝોનમાં ૮૫૨૧, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨૨૩૨,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૧૮૪ મિલકત સીલ કરાઈ છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here