Friday, June 5, 2026
Homenationalસિક્કિમના નાથુલામાં ભારે હિમપ્રપાત ઃ સાત લોકોનાં મોત

સિક્કિમના નાથુલામાં ભારે હિમપ્રપાત ઃ સાત લોકોનાં મોત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સવારે ૧૧.૩૦ વાગ્યે બરફનું તોફાન ત્રાટક્તા ૫ થી ૬ વાહનો ફસાયા હતાં

બપોરે ચાર વાગ્યા સુધીમાં ૨૩ લોકોને જીવતા બચાવી લેવાયા હતાં ઃ મૃતકોમાં એક મહિલા અને બાળક પણ સામેલ

સિક્કિમના નાથુલા વિસ્તારમાં મંગળવાર સવારે થયેલા ભૂષણ હિમપ્રપાતને કારણે સાત પર્યટકોના મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. પર્યટકોના વાહનો બરફમાં ફસાઇ ગયા હતાં.

સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગેંગટોકથી નાથુલાથી જોડતા જવાહરલાલ નહેરૃ માર્ગ પર સવારે ૧૧.૩૦ વાગ્યે બરફનું તોફાન ત્રાટક્યુ હતું. જેના કારણે પાંચથી ૬ વાહનો બરફમાં ફસાઇ ગયા હતાં જેમાં અંદાજે ૩૦ યાત્રીઓ હતાં.

બપોરે ચાર વાગ્યા સુધીમાં સાત મૃતદેહો શોધી કાઢી બરફમાંથી બહાર લાવવામાં આવ્યા હતાં. ૨૩ લોકોને જીવિત બચાવી લેવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દુર્ઘટનામાં ઘાયલ લોકોને ઘટના સ્થળથી ૫૫ કિલોમીટર દૂર આવેલા ગેંગટોકની  વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. તેમણે સાત લોકોનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમાંગે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

નાથુલા સમુદ્રના સ્તરથી ૧૪,૪૫૦ ફૂટ ઉપર આવેલુ છે. ભારત અને ચીન વચ્ચેના વેપાર માટે આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે. પર્યટકોમાં પણ આ વિસ્તાર ખૂબ જ લોકપ્રિય છે. ખરાબ હવામાનને કારણે પ્રવાસીઓને માઇલસ્ટોન ૧૩થી ઉપર જવા દવાની પરવાનગી નથી. જો કે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પર્યટકો જીદ કરતા ડ્રાઇવરો માઇલસ્ટોન ૧૩થી ઉપર લઇ ગયા હતાં.

આ અગાઉ બરફવર્ષાને કારણે રોડ પર ૮૦ વાહનો ફસાયા હતાં જેમાં ૩૫૦ લોકો સવાર હતાં. જો કે આ તમામ લોકોને બચાવીને ગેંગટોક પરત લાવવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે સિક્કિમનો પૂર્વ સિક્કિમ જીલ્લો કે જ્યાં આ ઘટના બની છે તે ભૂસ્ખલન માટે દેશમાં નવમા ક્રમનું સૌથી સંવેદનશીલ જિલ્લો છે. સિક્કિમમાં ૨૦૧૧ થી ૨૦૧૭ દરમિયાન ૧૫૬૧ ભૂસ્ખલન થયા હતાં.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here