Tuesday, September 15, 2026
Homenationalભુતાનના રાજાની મોદી સાથે મુલાકાત, ચીનને આકરો સંદેશો

ભુતાનના રાજાની મોદી સાથે મુલાકાત, ચીનને આકરો સંદેશો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

– સરહદની સુરક્ષા પર ચર્ચા થયાના અહેવાલ

– ભારત તેના વર્ષો જુના મિત્ર દેશ ભુતાનને વિકાસમાં દરેક મદદ કરતું રહેશે : રાષ્ટ્રપતિ મુર્મૂ

દોકલામ અંગે વિવાધિત નિવેદનો આપીને ચીનની તરફેણ કરનારા ભુતાનના  રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક ભારતની મુલાકાતે છે. તેઓએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત અને ભુતાનના સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરહદના વિવાદની પણ ચર્ચા થઇ હોવાના અહેવાલો છે. 

આ મુલાકાત અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમારી બન્ને વચ્ચેની મુલાકાત દરમિયાન સકાત્મક દિશામાં બન્ને દેશોને લઇ જવા અંગે વાતચીત થઇ હતી. આ દરમિયાન તેમણે ભુતાનના રાજા માટે ભુતાનમાં જે દ્રૂક ગ્યાલપો સન્માનનો ઉપયોગ થાય છે તેનો પણ ઉલ્લેખ ટ્વીટમાં કર્યો હતો. 

જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે ભારત પોતાના ઘનિષ્ઠ મિત્ર અને પાડોશી દેશ ભુતાનને મજબુતીથી સમર્થન આપશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ભુતાન પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો છે અને ભારત તેને સાથ આપી રહ્યું છે. ભારતે માન્યું છે કે ભુતાનના રાજાની મુલાકાતથી બન્ને દેશોના સંબંધો વધુ મજબુત બની રહ્યા છે. જોકે દોકલામ વિવાદ ભારત અને ભુતાનનો જ છે અને ચીનને તેમાં બોલવાનો કોઇ જ અધિકાર નથી તેમ છતા તેણે ચીનને વચ્ચે લાવીને રાખ્યું છે. 

આ વિવાદ અંગે શું હાલ ભુતાનના રાજા સાથે ચર્ચા થઇ હતી કે કેમ તેવા સવાલના જવાબમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે ભારત અને ભુતાન સુરક્ષાના દરેક મુદ્દા પર એકબીજાની સાથે બહુ જ નજીકથી સંપર્કમાં છે. નોંધનીય છે કે ચીન હાલ ભુતાન પર દોકલામ મુદ્દે દબાણ વધારી રહ્યું છે. એવામાં ભુતાનના રાજાની ભારત મુલાકાતથી ચીનને પણ એક રીતે ભુતાને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here