Friday, June 5, 2026
HomeBusinessફરીથી જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વિચારણા

ફરીથી જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વિચારણા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સરકાર ટૂંક સમયમાં સરકારી બેંકોના ખાનગીકરણને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે એક પેનલની રચના કરવામાં આવશે. આ પેનલ તે બેંકોના નામ નક્કી કરશે જેનું ખાનગીકરણ કરવામાં આવશે.એપ્રિલ ૨૦૨૧માં, નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગને જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની ભલામણ કરી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને કથિત રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

ખાનગીકરણ માટે બેંકોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેમાં નાની અને મધ્યમ બેંકોના નામ સામેલ છે. બેંકોની કામગીરી અને તેમના લોન પોર્ટફોલિયો અને અન્ય ઘણા પરિમાણોના આધારે આ સમિતિએ ખાનગીકરણના નામો નક્કી કરવાના રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નીતિ આયોગના અધિકારીઓને આ સમિતિમાં સામેલ કરવામાં આવી શકે છે.

એ ઊલ્લેખનીય રહેશે કે નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં છેલ્લા એક વર્ષમાં ૬૫.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિફ્ટી સ્પોટ આ સમયગાળા દરમિયાન માત્ર ૧૬ ટકા વધ્યો હતો.

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની ૧૨ બેંકો છે. તેમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક જેવી બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

અગાઉ ૨૦૨૧ ના બજેટમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તે જ વર્ષે, સરકારે સંસદમાં પસાર થવા માટે બેંકિંગ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૧ ને સૂચિબદ્ધ કર્યું હતું. 

આ બિલ હેઠળ સરકાર ૧૯૭૦ અને ૧૯૮૦ના બેંકિંગ કંપની એક્ટમાં સુધારો કરવા માંગે છે. તેમાં જાહેર ક્ષેત્રની બેંકોના સંપાદન અને ટ્રાન્સફર સંબંધિત નિયમો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here