Sunday, September 29, 2024
HomeSportsબાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

Date:

spot_img

Related stories

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય...

યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો, 47000...

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ...

OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત!...

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો...

રાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ...

ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની...

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ,...

બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા...

ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના...

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ...
spot_img

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેનો અમલ તાત્કાલિક થશે નહી. જો કે તેણે તાત્કાલિક અસરથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શાકિબ 27 સપ્ટેમ્બરથી કાનપુર ખાતે ભારત સામે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં રમશે. આ પછી તે વધુ એક ટેસ્ટ ક્રિકેટ સીરિઝ રમશે અને પછી તે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દેશે.આગામી સમયમાં બાંગ્લાદેશમાં યોજનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ તેની આ ફોર્મેટમાં છેલ્લી સીરિઝ હશે. શાકિબે આ જાહેરાત ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા કાનપુરમાં મીડિયાને સંબોધિત કરતી વખતે કરી હતી. આ દરમિયાન તેણે પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ ઓક્ટોબરમાં બે મેચની ટેસ્ટ સીરિઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે.શાકિબે જણાવ્યું હતું કે, મેં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને આવતા મહીને મીરપુર ખાતે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે શાકિબ આ સીરિઝમાં રમવા માટે સુરક્ષા મંજૂરી મળે છે કે નહી તેના પર નિર્ભર કરે છે. જો શાકિબ આ ટેસ્ટમાં નહીં રમી શકે તો, ભારત સામે 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ તેના માટે છેલ્લી ટેસ્ટ બની શકે છે.

શાકિબની ક્રિકેટ કારકિર્દી :
પોતાની ક્રિકેટની કારકિર્દી દરમિયાન શાકિબે T20I ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે 129 મેચ રમી છે, જેમાં તેણે 126 ઇનિંગ્સમાં કુલ 2551 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન અને સરેરાશ 23.19 રહી હતી. તેણે 121.25ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી પણ સામેલ છે. બોલિંગમાં શાકિબે 149 વિકેટ લીધી છે. અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં શાકિબે 70 મેચોમાં 242 વિકેટ ઝડપી છે, અને બેટર તરીકે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4600 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 31 અડધી સદી સામેલ છે. તેણે એક બેવડી સદી પણ ફટકારી છે.

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય...

યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો, 47000...

સામાન્ય રીતે ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ...

OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત!...

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો...

રાહુલ ગાંધીની આકરી ટીકા ભારતમાંથી રોજગારીની તકો મોદી સંપૂર્ણ...

ચંદીગઢ : હરિયાણામાં પાંચમી ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીએ બરોબરની...

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ,...

બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા...

ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના...

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here