
વિધ્નહર્તા, વિનાયક પ્રથમ પુજનીય દેવ એટલે ગણપતિ બાપ્પા જેમનું જાપ માત્ર કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે. તો ચાલો આજે જાણીએ તેમના અલગ અલગ નામ અને તેના માહત્મ્ય વિશે. ભગવાન ગણેશ પ્રથમ પુજનીય દેવ છે. ગણપતીના ઘણા નામો છે. જાણો આ નામોના અર્થ વિશે. કપિલ – ગણપતી મહારાજને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂરજ જેવો પીળો રંગ ધરાવવાના કારણે તેમને કપિલ કરવામાં આવે છે. તેનો મંત્ર છે- ऊँ कपिलाय नमःશ્રીગણેશનાં 12 સિદ્ધ નામભગવાન ગણેશના 12 નામો જપવાથી દૂર થાય સંકટ1) સુમુખ – સુંદર મુખવાળા, 2) એકદંત – એક દાંતવાળા, 3) કપિલ – સૂરજ જેવા પીળા રંગના, 4) ગજકર્ણ – હાથી જેવા કાન ધરાવનાર, 5)લંબોદર – મોટા ઉદરવાળા, 6) વિકટ – વિશાળ અને કદાવર, 7) વિનાયક – દેવોના દેવ, 8) ધૂમ્રવર્ણ – ધૂપ જેવા રંગવાળા, 9) ગણાધ્યક્ષ – બધા ગુણોના અધ્યક્ષ, 10) ભાલચંદ્ર – ચંદ્રને મસ્તક પર ધારણ કરનાર, 11) ગજાનન – હાથી સમાન મુખવાળા, 12 ) વિધ્નેશ્વર – વિધ્નોને દૂર કરનાર


