
એર ઈન્ડિયાએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની ડોમેસ્ટિક ફ્લાઈટની તમામ કામગીરી 29 માર્ચ 2026ના રોજથી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.
આ સ્થાનાંતરણમાં એર ઈન્ડિયાના અમદાવાદથી અને અમદાવાદ સુધી ચાલતી 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે, એરલાઈનની અમદાવાદથી ઉડાન અને ઉતરાણ કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ટર્મિનલ-2 પર અગાઉથી જ કાર્યરત છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ ટર્મિનલ-2 પર થશે.
એર ઈન્ડિયાના તમામ આગમન અને પ્રસ્થાનો 29 માર્ચથી ફક્ત ટર્મિનલ 2 પરથી જ કાર્યરત થશેએર ઈન્ડિયા દ્વારા આ ફેરફાર અમદાવાદથી અને અમદાવાદમાં મુસાફરી કરતાં ગ્રાહકોના એરપોર્ટઅનુભવમાં વધારો કરવાના પ્રયાસોના ભાગરૂપે હાથ ધરાયો છે. 49,000 ચોરસ મીટરના બિલ્ટઅપ વિસ્તારમાં ફેલાયેલું ટર્મિનલ-2 મુસાફરોને નોંધપાત્ર રીતે અપગ્રેડેડ અનુભવ પ્રદાન કરે છે.
52ચેકઈન કાઉન્ટર, સેલ્ફબેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા કિઓસ્ક,17 ડિપાર્ચર ઈમિગ્રેશન કાઉન્ટર,22 અરાઇવલ ઈમિગ્રેશન કાઉન્ટર, ડિપાર્ચર અને અરાઇવલ પર8 ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન ઈગેટ્સ અને રિટેલ તથા એફએન્ડબી વિકલ્પોની વિશાળ રેન્જથી સજ્જ છે.
એર ઈન્ડિયાએ અમદાવાદથી અને અમદાવાદ જઈ રહેલા તમામ મુસાફરોને એસએમએસમેઈલ અને અન્ય સીધા કોમ્યુનિકેશન માધ્યમોની મદદથી ટર્મિનલમાં ફેરફાર વિશે સક્રિયપણે સૂચિત કરવાનું શરૂ કર્યું છે. મુસાફરોને છેલ્લી ઘડીએ અસુવિધા ન નડે તે હેતુ સાથે એરપોર્ટ પર જતાં પહેલાં મુસાફરોને પોતાના ટર્મિનલની માહિતી બે વાર ચકાસવા સલાહ પણ આપી છે.
