
03 એપ્રિલ 2026ના દિવસે ઓલ ઈન્ડિયા રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન સાથે સંકળાયેલ રેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદ દ્વારા વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઓલ ઈન્ડિયા રેલવે ફેડરેશન (AIRF)ના મહામંત્રી શ્રી શિવ ગોપાલ મિશ્રા દ્વારા અધિવેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન (WREU)ના મહામંત્રી શ્રી જે.આર. ભોસલે, અધ્યક્ષ શ્રી આર.સી. શર્મા, RPFના અધ્યક્ષ શ્રી પી.એમ. રાવલ, મહામંત્રી શ્રી સુભાષ ચિત્તે, WREUના ઝોનલ એજ્યુકેટર શ્રી દિનેશ પાંચાલ, મંડળ મંત્રી સાથી ઘનશ્યામ યાદવ તેમજ RPF અને WREUના પદાધિકારીઓ, વિવિધ ફેડરેશનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નિવૃત્ત રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થએ પોતાની વિશેષ હાજરી નોંધાવી હતી.
તેમના સંબોધનમાં મંડળ રેલ પ્રબંધકે DRM કચેરીના ગ્રિવન્સ સેલના COS શ્રી સ્ટીફન ડાભીના કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી અને તેમના ઉત્તમ યોગદાનને બિરદાવ્યું.
અધિવેશન દરમિયાન પેન્શનર્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને તેમના ઉકેલ માટે સૂચનો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમનો સમાપન આભાર વ્યક્ત કરીને કરવામાં આવ્યો
