Wednesday, August 5, 2026
HomeGujaratBhavnagarભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને...

ભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

આ કાર્ય પર અંદાજે રૂ. 90 લાખનો ખર્ચ થયો છે. પ્રોજેક્ટનું કામ 06 મે 2025 ના રોજ શરૂ થયું હતું અને 08 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થયું હતું. ત્યારબાદ 31 માર્ચ 2026 ના રોજ આ ટાંકીનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું હતું.

યાત્રીઓ તેમજ રેલવે કર્મચારીઓને વધુ સારી પાણી પુરવઠા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા જેતલસર સ્ટેશન પર એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જૂની સી-વેલ સ્ટીલ ટાંકીના સ્થાને આધુનિક આર.સી.સી. ઓવરહેડ (OH) ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલી આર.સી.સી. ઓવરહેડ ટાંકીની ક્ષમતા 2.25 લાખ લિટર છે તેમજ સંપ (Sump) ની ક્ષમતા 2.50 લાખ લિટર છે. ટાંકીની ઊંચાઈ 20 મીટર છે, જેના કારણે પાણી પુરવઠામાં પૂરતો દબાણ અને સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
આ નવી વ્યવસ્થા દ્વારા કુલ 116 કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાં 113 સ્ટાફ ક્વાર્ટર્સ તથા 03 સેવા ઇમારતો (સી.એચ.આઈ. ઓફિસ, જી.આર.પી. ઓફિસ અને એસસી/એસટી ઓફિસ) નો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ માત્ર પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ રેલવે કર્મચારીઓ અને સંબંધિત કચેરીઓને વધુ સારી સુવિધા પૂરી પાડી તેમના કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થશે.
પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ યાત્રીઓ અને કર્મચારીઓની સુવિધાઓમાં સતત સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છે અને આવી વિકાસાત્મક યોજનાઓ દ્વારા આધુનિક અને સુવિધાસભર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here