લેખક :દીપક જગતાપ
10 કિમી વ્યાસ ધરાવતો અને
સૂર્યની આસપાસ દર 5.4 વર્ષે એક ચક્ર પૂરું કરતો ગુરુ પરિવારનો ધૂમકેતુ10p ઉર્ફે ટેમ્પલ 2
તેની શોધ 4 જુલાઈ 1873 ના રોજ વિલ્હેમ ટેમ્પેલ દ્વારા કરવામાં આવી હતી .
2જી ઓગષ્ટ ના રોજ પૃથ્વીની નજીક આવ્યો છે.
~~~
હમણાં થોડાં દિવસ પહેલા 2 જી ઓગષ્ટના રોજ એક ગુરુ પરિવારનો એક ધૂમકેતુ પૃથ્વીની નજીક આવ્યો છે. એનું નામ છે
ધૂમકેતુ 10P/ટેમ્પલ (ટેમ્પલ 2).
10P/ટેમ્પલની ઓળખ આ ધૂમકેતુને ટેમ્પલ 2તરીકે પણ ઓળખવામાં આવે છે.
2 ઓગસ્ટ 2026ના રોજ પેરીહેલિયન (સૂર્યથી સૌથી નજીકના બિંદુ)પર પહોંચ્યો હતો
અને 3 ઓગસ્ટ 2026ના રોજ પૃથ્વીથી આશરે 0.414 AU, એટલે કે લગભગ 61.9 મિલિયન કિમી દૂરથી પસાર થયો હતો; ત્યારે તેની તેજસ્વિતા લગભગ 8થી 10 વચ્ચે અંદાજવામાં આવી હતી.
આ ધૂમકેતુની શોધ વિલ્હેમ ટેમ્પલ દ્વારા 4 જુલાઈ 1873ના રોજ આ ધૂમકેતુની શોધ કરવામાં આવી હતી.જે પેરીહેલિયન અને પૃથ્વીથી નજીકના અભિગમ દરમિયાન તે મોટાભાગના દૂરબીન (ટેલિસ્કોપ) દ્વારા જોઈ શકાય તેવી સ્થિતિમાં હતો. આ ધૂમકેતુ તેની લાંબી અને સ્પષ્ટ ધૂળની કેડી (ડસ્ટ ટ્રાયલ) માટે જાણીતો છે, જેનું અવલોકન અગાઉ ઉપગ્રહો દ્વારા પણ થયું છે.
ધૂમકેતુ શું છે?:
ધૂમકેતુઓ બરફ, ધૂળ અને શિલાકણોથી બનેલા સૂર્યમંડળના પ્રાચીન પદાર્થો છે. સૂર્યની નજીક આવે ત્યારે તેમનું બરફીયું પદાર્થ વરાળ બની “કોમા” અને પૂંછડી બનાવે છે, જેના કારણે તે પ્રકાશમાન દેખાય છે. 10P/ટેમ્પલ એક ગુરુ પરિવારનો આવર્તક ધૂમકેતુ છે, એટલે તેની કક્ષા ગુરુગ્રહના ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત અને તુલનાત્મક રીતે ટૂંકી છે.
તેનો પેરીહેલિયન અંતર લગભગ 1.418 AU છે અને તેનો આવર્તક સમય આશરે 5.4 વર્ષનો છે. આથી તે એકવાર દેખાઈને જતાં લાંબા સમય સુધી ગુમ થતો નથી; નિયમિત રીતે ફરીથી સૂર્યની નજીક આવે છે.
તે સમયે સૂર્યથી તેનું કોણીય અંતર આશરે 164 ડિગ્રી હતું, જે જોવાલાયક સ્થિતિ ગણાય છે. વિવિધ સ્ત્રોતો તેની તેજસ્વિતા માટે લગભગ 8થી 10 મેગ્નિટ્યુડનો અંદાજ આપે છે, એટલે શહેરની ભારે પ્રકાશપ્રદૂષણવાળી જગ્યાએ જોવા મુશ્કેલ હોય પરંતુ અંધારા આકાશમાં વધુ અનુકૂળ રહેવાની શક્યતા હતી.
જોકે પૃથ્વી માટે આ ધૂમકેતુ જોખમી નથી. આમ ભલે 0.414 AUનું અંતર ખગોળીય રીતે નજીક ગણાય, પણ તે હજુ પણ અંદાજે 61.9 મિલિયન કિમી છે, એટલે પૃથ્વી સાથે અથડામણની કોઈ ચિંતા નહોતી . એવા ધૂમકેતુઓને અવલોકન માટે રસપ્રદ માનવામાં આવે છે,
જોકે પૃથ્વીની નજીક આવતા આવા ધૂમકેતુ ખગોળશાસ્ત્રીઓ માટે બહુ ઉપયોગી હોય છે. કારણ કે તે સૌરમંડળના પ્રારંભિક દ્રવ્યની સમજ આપે છે. તેની તેજસ્વિતા, ધૂળની પ્રવૃત્તિ, અને કક્ષાગત બદલાવનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ધૂમકેતુની અંદરની રચના અને લાંબા ગાળાની ગતિશીલતાવગેરેનો અભ્યાસ થઈ શકે છે.
