Friday, June 5, 2026
HomeAhmedabadક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા જ કરશે : જુલાનિયાની ઘોષણા

ક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા જ કરશે : જુલાનિયાની ઘોષણા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી, તા. ૯
વર્ષો સુધી રુચિ નહીં દર્શાવનાર ભારતીય ક્રિકેટ બોર્ડ છેલ્લે રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સી (નાડા)ના દાયરામાં આવવા માટે તૈયાર થઇ ગયું છે. રમત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ માહિતી આપી હતી. બીસીસીઆઈ સીઈઓ રાહુજ જાહરી સાથે શુક્રવારે મુલાકાત કર્યા બાદ જુલાનિયાએ કહ્યું હતું કે, બોર્ડે લેખિતમાં આપ્યું છે કે, નાડાની ડોપિંગ નિરોધક નીતિનું પાલન કરશે. તેમણે કહ્યું હતું કે, હવે તમામ ક્રિકેટરોના ટેસ્ટ નાડા કરશે. તેમણે કહ્યું હતું કે, બીસીસીઆઈએ અમારી સમક્ષ ત્રણ મુસદ્દા મુક્યા હતા જેમાં ડોપ ટેસ્ટ કિટ્‌સની ગુણવત્તા, પૈથાલોજિસ્ટની કાબિલિયત અને નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા સામેલ હતી. તેમણે કહ્યું હતું કે, અમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેમને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ આપવામાં આવશે પરંતુ તેની થોડીક ફી લાગશે. બીસીસીઆઈ બીજાથી અલગ નથી. હજુ સુધી બીસીસીઆઈ નાડાના દાયરમાં આવવા માટે ઇન્કાર કરી રહ્યું હતું. બીસીસીઆઈનો દાવો હતો કે, તે સ્વાયત્ત સંસ્થા છે, કોઈ રાષ્ટ્રીય ખેલ મહાસંઘ નહીં અને સરકારથી ફંડિંગ પણ નથી લેતું. રમત-ગમત મંત્રાલય સતત કહી રહ્યું હતું કે, તેમને નાડા હેઠળ આવવું જ પડશે. તેમણે હાલમાં જ દક્ષિણ આફ્રિકા-એ અને મહિલા ટીમોના પ્રવાસની મંજુરી રોકી દીધી હતી. ત્યારબાદ અટકળો કરાઈ રહી હતી કે બીસીસીઆઈ પર નાડા હેઠળ આવવાના દબાણ બનાવવાના હેતુસર જ આવું કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી બીસીસીઆઈ દ્વારા નાડાનો વિરોધ કરાઈ રહ્યો હતો. હવે તમામ ક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા દ્વારા કરવામાં આવશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here