મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના “મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ” અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, “આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે.”
બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, “ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે.
ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર માં નિફ્ટી 50 કંપનીઓની આવક, EBITDA અને ચોખ્ખો નફો (PAT) અનુક્રમે 17%, 17% અને 19% વધ્યા છે. જ્યારે BSE 500 કંપનીઓમાં આ વૃદ્ધિ અનુક્રમે 17%, 20% અને 23% રહી.
નજીકના ભવિષ્યમાં બજારની સ્થિતિને સુધરી રહેલા ક્રેડિટ ગ્રોથ (એટલે કે બેંકોની ધિરાણ પ્રવૃત્તિમાં મજબૂતાઈ) અને સુધરી રહેલા બજાર સેન્ટિમેન્ટથી ટેકો મળી શકે છે, જેનાથી અત્યાર સુધી પાછળ રહેલા બજાર વિભાગો પણ આગળ વધી શકે છે.
બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ માને છે કે ભારતમાં સંપત્તિ સર્જનનો આગામી તબક્કો લાંબા ગાળાના મોટા વલણો (મેગાટ્રેન્ડ્સ) દ્વારા ઘડાશે. આમાં ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઊર્જા સંક્રમણ, ઇલેક્ટ્રિક વાહનો (EV), ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ, પ્રીમિયમાઇઝેશન (વધુ સારી ગુણવત્તાવાળી, મોંઘી ચીજવસ્તુઓની વધતી માંગ) અને વેલનેસ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
જ્યારે AIની અસર માત્ર ટેક્નોલોજી કંપનીઓ પૂરતી મર્યાદિત નહીં રહે. તેને અપનાવવાથી ઉત્પાદકતા, નિર્ણય લેવાની ક્ષમતા, ગ્રાહક અનુભવ અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો થશે. આનાથી ડેટા સેન્ટર, વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર, ઓટોમેશન, ફિઝિકલ AI અને રોબોટિક્સની માંગ પણ વધશે. ભારત આ પરિવર્તનમાં બંને ભૂમિકા ભજવી શકે છે — વપરાશકાર તરીકે પણ અને જરૂરી ટેક્નોલોજી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડનાર તરીકે પણ. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ નવેસરથી તેજી જોવા મળી શકે છે, કારણ કે તે સ્થાનિક અને વૈશ્વિક, બંને પ્રકારની માંગને પૂરી કરશે.”
