Friday, June 26, 2026
HomeNew Delhiટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી

ટીએમસીના મહાજંગલરાજના ભયની સામે ભાજપના ભરોસાની ચૂંટણી : મોદી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મોદીએ કહ્યું હતું કે માલદામાં જે કઇ થયું તે માત્ર ટીએમસીનો ઘમંડ નથી, પરંતુ ટીએમસી દ્વારા ફેલાવાયેલુ મહા જંગલરાજ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, મોદીએ કહ્યું હતું કે માલદામાં જજોનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો તે પરથી સ્પષ્ટ થાય છે કે બંગાળમાં હાલ જંગલરાજ ચાલી રહ્યું છે. બંગાળની આ ચૂંટણી સત્તાધારી પક્ષ ટીએમસીના ‘ભય’ની સામે ભાજપના ‘ભરોસા’ની છે. મોદીએ કહ્યું હતું કે ટીએમસીના ભયની સામે ભાજપના ભરોસાની જીત થશે.   
બંગાળના કૂચ બિહારમાં રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મમતા બેનરજીની અત્યંત ઘાતકી સરકાર દરરોજ બંગાળની પવિત્ર ધરતી પર લોકશાહી પર લોહીના ડાઘ લગાવી રહી છે. આ સરકાર કોઇ પણ બંધારણીય સંસ્થાની ચિંતા નથી કરી રહી. બેથી ત્રણ દિવસ પહેલા જ આખા દેશે જોયું કે કેવી રીતે માલદામાં જજોને બંધક બનાવી રખાયા હતા. આ કેવા પ્રકારની સરકાર છે? આ કેવી વ્યવસ્થા છે કે જ્યાં જજો પણ સુરક્ષિત નથી? એવામાં બંગાળ સરકાર પાસેથી સામાન્ય નાગરિકો સુરક્ષાની અપેક્ષા કેવી રીતે રાખી શકે? જે પણ લોકો જવાબદાર છે તેમનો હિસાબ થશે મોદીએ કહ્યું હતું કે ચૂન ચૂન કે હિસાબ હોગા. મોદીએ કહ્યું હતું કે માલદામાં જે કઇ થયું તે માત્ર ટીએમસીનો ઘમંડ નથી, પરંતુ ટીએમસી દ્વારા ફેલાવાયેલુ મહા જંગલરાજ છે. જ્યારે પણ ન્યાયનો ફંદો ટીએમસીની આસપાસ આવે છે ત્યારે મમતા સરકાર બંધારણીય સંસ્થાઓનું ગળુ દબાવવા પ્રયાસ કરે છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડી રહી છે. ટીએમસી એસઆઇઆર અને સીએએનો વિરોધ માત્ર ઘુસણખોરોને બચાવવા માટે જ કરી રહી છે. ટીએમસી ઇચ્છે છે કે હિન્દુઓને સીએએ હેઠળ ભારતની નાગરિકતા ન મળે. ટીએમસીના ૧૫ વર્ષના શાસનમાં બંગાળની સરહદોની ભૌગોલિક પરિસ્થિતિ સાવ બદલાઇ ગઇ છે. સત્તામાં પરિવર્તન આવ્યા બાદ એક એકનો હિસાબ કરાશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here