Sunday, July 26, 2026
HomeEducationતમારા માટે આ પ્રવચન,મારા માટે સ્વાધ્યાય છે:બાપુ

તમારા માટે આ પ્રવચન,મારા માટે સ્વાધ્યાય છે:બાપુ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

બુદ્ધપુરુષનાંઅધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે.

ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે.

શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન છે.

પહોંચેલો મહાપુરુષ પામી ગયા પછી પણ ગાવાનું છોડતો નથી.

ભારત માતા પરમ અમૃત છે.

ગીતા પૃથ્વીનું અમૃત છે.

પાપનાશિનીગંગામૈયાનીગોદમાંવહેતીકથાધારા શનિવારે જ્યારે પાંચમાં દિવસમાં પહોંચી.શરૂમાંપૂછાયું હતું કે ધરામૃત અને અધરામૃત એક છે કે અલગ?પૃથ્વી પણ અમૃત છે.પૃથ્વીને આપણે વિષાક્ત-ઝેરીલી બનાવી એ અલગ વાત છે.પણ પૃથ્વી ધરામૃતછે.અધરામૃતનો અર્થ,બધા જાણીએ છીએ એ સ્થૂળ અર્થ છે.આપણા જેવા લોકો માટે આ અર્થ બરાબર છે.પરંતુ આ તો આપણા લેવલનાં લોકો માટે,પણ સાધુ-સંતો અર્થ કરે છે કે જે ધરાનું અમૃત નથી એ અધરામૃતછે.ધરતીમાંથી જે કંઈ નીકળી રહ્યું છે એ અમૃત છે પણ એને આપણે કોઈને વેંચીએ છીએ,વેપાર કરીએ છીએ.અધરામૃત ઉપરનું અમૃત છે,જે વેંચાતું નથી પણ વહેંચાય છે. હોઠોનું અમૃત એ લૌકિક અર્થ છે.માણસ પાસે જીભ કંઠ,દાંત,ગલોફું આ બધું હોય પણ હોઠ ન હોય તો સ્પષ્ટ બોલી શકતો નથી.હોઠને કારણે આપણે શબ્દનો વિનિમય કરી શકીએ છીએ.શુકદેવજીઅધરામૃતની વાત કરે છે ત્યારે માત્ર આટલો જ અર્થ ન હોય,લૌકિક તો છે જ,પણ એનો આધ્યાત્મિક અર્થ એ છે કે બુદ્ધપુરુષનાંઅધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃતછે.ઉપનિષદનાં, ભાગવતનાં વચનામૃત,બ્રહ્મસૂત્રોના વચન, વ્યાસપીઠનાંઅધરામૃતછે.આ લૌકિક નહીં અલૌકિક છે.

પૂછાયેલું કે આપ રામચરિત માનસને માણસને કઈ દ્રષ્ટિથી જુઓ છો?અમારે કંઈ દ્રષ્ટિથી જોવું જોઈએ બાપુએ કહ્યું કે કથામાં આવ્યા પછી આપ અને હમ, તમે અને અમેનો ભેદ મિટાવી દઈએ.શ્રોતા-વક્તા જ્ઞાનનિધિ-બંને સમ છે.તમે કઈ રીતે જુઓ એ તમે કહો ત્યારે ખબર પડે.આંખ બે હોય નજર એક,પગ બે પણ ગતિ એક,હાથ બે પણ કર્મ એક હોય છે. ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે સાધુઓ માટે મહામંત્ર છે.

સદગુરુ જ્ઞાન બિરાગ જોગ કે;

બિબુધબૈદ ભવ ભીમ રોગ કે.

ગોસ્વામીજીની અંતરંગ વાતો પકડીએ તો,કહે છે કે આ ગુરુ નથી પરમગુરુછે.હું મારો મત આપુ તો તમારા માટે આ પ્રવચન છે,મારા માટે સ્વાધ્યાય છે. ઉપનિષદે સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરવાની આજ્ઞા કરી છે.ખરેખર વક્તા છે એણે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે હું બોલી નથી રહ્યો,આ મારો સ્વાધ્યાય છે.વેદાંતની પ્રક્રિયામાં શ્રવણ પહેલો પડાવ છે.પછી મનન છે.અક્ષર સરળ,શબ્દ સરળ,અર્થ સરળ હોવા જોઈએ-વૈરાગ્ય સાંદિપનીમાંતુલસીજી એવું કહે છે.એટલે કહું છું માત્ર સાંભળો.એ પણ પર્યાપ્ત છે.પછીનિદિધ્યાસન અને છેલ્લો પડાવ સાક્ષાતકારકહેવાયોછે.શ્રદ્ધાવાન માટે આ ગુરુ છે સાધુઓ માટે સદગુરુ છે.શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન છે.પહોંચેલો મહાપુરુષ પામી ગયા પછી પણ ગાવાનું છોડતો નથી.જ્ઞાનમાં અખંડ એકાગ્રતા રહે કે નહીં ખબર નહીં,પણ ગાનમાં તાલ,સૂર,લયનો ભેદ ન થાય એવી એકાગ્રતા રાખવી પડે છે.આખી પૃથ્વી અમૃત,એમાંય ભારત માતા પરમ અમૃત છે.ગીતા પૃથ્વીનું અમૃત છે.

આજે કથા શ્રવણ માટે આવેલા યોગઋષિ બાબા રામદેવે કથાને અંતે આશીર્વાદક વચનો અને યોગ નિદર્શન પણ કર્યું હતું.

Box

યોગામૃત અને માનસનાં અમૃત

શૃણ્વન્તુવિશ્વેઅમૃતસ્યપુત્રા

આ યેધામાનિદિવ્યાનિતસ્થુ:

-શ્વેતાશ્વતરોપનિષદ(અધ્યાય-૨,શ્લોક-૫)

યોગ પણ અમૃત છે,વિયોગ પણ અમૃત છે.વિરહનાંમંથનથીનીકળતો પ્રેમ-અમૃત છે.આશ્લોકમાં શરતો રાખી છે,યોગ માટે.જ્યાં સમતા હોય,સ્થૂળ રૂપમાં સમથળ ભૂમિ,પવિત્ર ભૂમિ,શબ્દોનો કોલાહલ ન હોય,આંખને પીડે નહીં એવો પ્રકાશ,જ્યાં વાયુનું વધારે આવાગમન ન હોય-આવા યોગામૃતનાંપાનથી રોગ નથી થતો,બુઢાપો નથી આવતો,મૃત્યુ નથી આવતું,શરીર યોગાગ્નિમય થઈ જાય છે,વર્ણ પરિવર્તન થાય છે,આત્મા બદલાય છે,સ્વર પાકે છે, એક પ્રકારની ડીવાઇનસ્મેલયોગામૃતનીફળશ્રુતિ છે.

શિવચરિત્ર-કલ્યાણામૃત,સિતારામચરિત્ર-સત્યામૃત, ભરતચરિત્ર-પ્રેમનું અમૃત,હનુમંત ચરિત્ર વૈરાગ્ય અમૃત અને ભુશંડીચરિત્ર-સાધુ અમૃત છે.

આપણે ત્યાં એક શબ્દ પંચામૃત આવ્યો,એ પણ અમૃત છે જ.આધ્યાત્મિકરૂપથી જોઈએ તો દૂધ ધર્મામૃતછે.દહીં મંથન-સાધુનું હૃદયામૃત છે. દૂધ એ ધર્મ અમૃત છે.સાધુનું હૃદય ભજન કરે તો મધુરતા આવે છે-એ મધ છે.

રામચરિતમાનસમાં નયનામૃત,સાધુ રૂપ અમૃત,સંત અમૃત,વાણી અમૃત,કૃપામૃત,સરિતામૃત,રૂપમૃત, સ્નેહામૃત,પ્રેમામૃત,સુખામૃત,નામામૃત,શ્રવણામૃત, વચનામૃત,કથામૃત વગેરે શબ્દો મળે છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here