Wednesday, August 5, 2026
HomeGujaratકોંગ્રેસ નેતાનો ખુલાસો, મોટી કેટરિંગ બ્રાન્ડને આપ્યો હતો ઓર્ડર, દૂધીનો હલવો ખાઇને...

કોંગ્રેસ નેતાનો ખુલાસો, મોટી કેટરિંગ બ્રાન્ડને આપ્યો હતો ઓર્ડર, દૂધીનો હલવો ખાઇને થયું ફૂડ પોઇઝનિંગ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

મહેસાણા જિલ્લાનાં વિસનગર તાલુકાનાં સવાલા ગામમાં  લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ કોંગ્રેસ નેતા વજીર ખાન પઠાણે સ્પષ્ટતા આપી છે તેમણે કહ્યું છે કે, મોટાભાગનાં લોકોને દૂધીનો હલવો ખાઇને તકલીફ થઇ છે. અમે દેશની સૌથી મોટી કેટરિંગ બ્રાન્ડને ઓર્ડર આપ્યો હતો. હાલમાં મોટાભાગનાં લોકો સારવાર લઇને સ્વસ્થ થઇ ગયા છે. અમે તમામ લોકોને સારવાર આપાવવામાં મદદ કરી છે. સારવારનો ખર્ચ પણ અમારા પરિવારે ઉપાડ્યો છે. ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલે તેમાં અમને ખુબજ મદદ કરી છે. વિસનગરનાં તમામ આગેવાનોએ હાજર રહી એકતાનું ઉદહારણ પુરુ પાડ્યું છે. કેટિરંગ કોન્ટ્રાક્ટર દ્વારા અમાદવાદનાં હસમુખભાઇ પાસેથી માવો ખરીદવામાં આવ્યો હતો. દિલ્હી દરબારને કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાનાં સવાલા ગામમાં ગઇ કાલે કોંગ્રેસ નેતા વજીર ખાન પઠાણનાં દીકરા શાહરૂખ ખાન પઠાણનાં લગ્ન હતાં. લગ્નપ્રસંગના જમણવારમાં 1225 થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયું હતુ.  એક માહિતી પ્રમાણે અત્યાર સુધી એવું હતું કે, ફૂડ પોઇઝનિંગ નોનવેજ ખાવાથી થયું છે જેનાં પર વજીર ખાને સ્પષ્ટતા આપી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચા ના પ્રમુખ વઝીરખાન પઠાણ ના ત્યાં પ્રસંગ હતો જમણ વાર બાદ આ ફૂડ પોઇઝનીંગની અસર થઈ હતી જેને લઈ દર્દીઓને જિલ્લાની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્ર ઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગર થી મોડી રાત્રે 3:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા.મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી. ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી.આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર , વિસનગર ની નૂતન હોસ્પિટલમાં 410, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50 આમ કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર મેળવીને સ્વગૃહે પરત થયા છે.દર્દીઓને સધન સારવાર મળી રહેતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી. આગામી સમયમાં ફુડ પોઇઝનીંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.


7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here