Thursday, June 25, 2026
HomeGujaratઅમરેલી જિલ્લામાં મગફળીના પાકને ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું

અમરેલી જિલ્લામાં મગફળીના પાકને ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મુખ્ય આજીવિકાનો સ્ત્રોત ગણાતો મગફળીનો પાક આ વર્ષે ભારે વરસાદના કારણે મોટા નુકસાનનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના ગોરડકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. નવરાત્રી દરમિયાન પડેલા આ વરસાદે પાકને સો ટકા જેટલું નુકસાન પહોંચાડ્યું છે, જે ખેડૂતો માટે આર્થિક આંચકો બન્યો છે.ગોરડકા ગામના ખેડૂત મેરૂભાઈ વનરાએ જણાવ્યું કે, તેમણે 20 વીઘામાં મગફળીનું આગોતરું વાવેતર કર્યું હતું. પાક હાથમાં આવવાનો સમય આવ્યો હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે પાકમાં પુનઃ અંકુરણ શરૂ કર્યું. મગફળીના દાણા ફાટી જમીનમાં વધવા લાગ્યા, જેના કારણે કોળિયા તોડી નાખાયા. આથી પાકની ગુણવત્તા ખરાબ થઈ, અને ખેડૂતોને આવક તો દૂર, ખેતરનો ખર્ચ પણ વસૂલ નહીં થાય. અવિરત વરસાદથી પાથરા ભીંજાઈ ગયા, અને તેમાં ફૂગ લાગવાની શરૂઆત થઈ, જે વેપારીઓના ભાવ પર અસર કરશે.સાવરકુંડલા ઉપરાંત ધારી, બગસરા, ખાંભા અને રાજુલા તાલુકામાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ખેડૂતો આગોતરું વાવેતર કરી વધુ ઉપજ અને સારા ભાવની અપેક્ષા રાખતા હતા, પરંતુ વરસાદે તેમના પાકને નષ્ટ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે પાકને બચાવવો અશક્ય બન્યો છે, અને નુકસાન 100 ટકા છે. આ પરિસ્થિતિએ ખેડૂતોને નાણાકીય અને માનસિક તકલીફ આપી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here