
ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે જાહેર કર્યું છે કે તેણે તમિલનાડુ મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન (ટીએનએમએસસી) પાસેથી કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ અંતર્ગત તમિલનાડુમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર એક ગ્રામ, 22-કેરેટ, 916-ગ્રેડ બીઆઇએસ-હોલમાર્ક સોનાની વીંટીના સપ્લાય માટે છે. કોન્ટ્રાક્ટની શરતો હેઠળ કલ્યાણ જ્વેલર્સ એક-ગ્રામ, 22 કેરેટ સોનાની વીંટીઓના 38,550 યુનિટ સપ્લાય કરશે.
‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ એ તમિલનાડુ સરકારની કલ્યાણકારી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યભરના પાત્ર લાભાર્થીઓને સોનાની વીંટીઓનું વિતરણ કરવાનો છે. આ કરાર હેઠળ કલ્યાણ જ્વેલર્સની કામગીરીમાં ટીએનએમએસસી દ્વારા નિર્દિષ્ટ સ્થળોએ વીંટીઓનું ઉત્પાદન, હોલમાર્કિંગ અને ડિલિવરીનો સમાવેશ થશે.
કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ટી. એસ. કલ્યાણરમણે કહ્યું હતું કે, “સોનાનું હંમેશા તમિલ પરિવારોમાં એક ખાસ સ્થાન રહ્યું છે, પરંતુ જ્યારે તે બાળકને ભેટ તરીકે આપવામાં આવે છે, ત્યારે તેનો અર્થ વધુ ગાઢ રહે છે. થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ તમિલનાડુ સરકારની બાળકોના કલ્યાણ અને ભવિષ્ય પ્રત્યેની કટીબદ્ધતા દર્શાવે છે અને અમને ખૂબ જ ગર્વ છે કે કલ્યાણ જ્વેલર્સને આ પહેલનો એક ભાગ સોંપવામાં આવ્યો છે. અમારા માટે દરેક વીંટી પરિવારની આશાઓ અને તમિલનાડુના ભવિષ્યમાં બાળકના સ્થાનની એક નાની પણ અર્થપૂર્ણ અભિવ્યક્તિ છે. અમે આ જવાબદારીને અત્યંત કાળજી, ગુણવત્તા અને પ્રામાણિકતા સાથે પૂર્ણ કરીશું.”
કલ્યાણ જ્વેલર્સ હાલમાં તમિલનાડુમાં 30 શોરૂમ ધરાવે છે અને ચેન્નાઈમાં તેની પ્રથમ પ્રાદેશિક બ્રાન્ડ અક્ષય થાંગા માલિગાઈ લોંચ કરી છે. બ્રાન્ડ, તેના કલેક્શન અને ઓફર્સ વિશે વધુ માહિતી માટે, https://www.kalyanjewellers.net/ ની મુલાકાત લો.
