
આગામી સમયમાં પણ અમારું ધ્યાન મજબૂત અને ટકાઉ વ્યવસાયો ઊભા કરવા, નાણાંકીય શિસ્ત જાળવી રાખવા અને અમારા તમામ હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જવા પર કેન્દ્રિત રહેશે.”
કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (KIL) (BSE: 500243; NSE: KIRLOSIND) એ આજે 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ માટેના તેના નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી.
ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ 2026ના પરિણામો અંગે ટિપ્પણી કરતા કેઆઈએલના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ વર્ગીસે જણાવ્યું હતું કે, “અમે કેઆઈએલ માટે ચોથા ત્રિમાસિક ગાળાના સ્થિર પરિણામો નોંધાવ્યા છે. સમગ્ર વર્ષના સંકલિત આંકડા પર નજર કરીએ તો, અમે રૂ. 7,013 કરોડની કુલ આવક સાથે નાણાંકીય વર્ષ પૂર્ણ કર્યું છે, જે વાર્ષિક ધોરણે 5 ટકા વૃદ્ધિ દર્શાવે છે તેમજ રૂ. 354 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
અમારી મહત્વપૂર્ણ સહાયક કંપની કિર્લોસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વર્ષ દરમિયાન મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જેને કામગીરીમાં સ્થિરતા, ક્ષમતા સુધારણા અને ટકાઉ તથા નફાકારક વૃદ્ધિ પરના મજબૂત ધ્યાનનો આધાર મળ્યો હતો. કામગીરીમાં શ્રેષ્ઠતા, ખર્ચ સ્પર્ધાત્મકતા અને જવાબદાર ઉત્પાદન પર કંપની દ્વારા સતત આપવામાં આવતું મહત્વ તેના બજાર સ્થાનને વધુ મજબૂત બનાવવામાં સહાયક બન્યું છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન, અવાન્તે સ્પેસીસે તેના પ્રતિષ્ઠિત વિકાસ પ્રોજેક્ટ ‘અવાન્તે બિઝનેસ પાર્ક’ ના લોન્ચ સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું, જે વેપાર, સંસ્કૃતિ અને સમુદાયને એકસાથે લાવતી ભવિષ્યલક્ષી જગ્યાઓ સર્જવાની અમારી દ્રષ્ટિને વધુ મજબૂત બનાવે છે. અમારો વિશ્વાસ છે કે આવા વિકાસ પ્રોજેક્ટ્સ લાંબા ગાળે હિતધારકો માટે મૂલ્યવર્ધન કરવા સાથે ટકાઉ શહેરી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
