Friday, June 26, 2026
Homenationalનેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં...

નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયા સરકાર મેળવશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાની સંપત્તિઓને ચોક્કસ સમય ગાળા સુધી ઉપયોગ કરવાના અધિકારનું વેચાણ કરી અને ઈનવિટ (InvIT) જેવા રોકાણની અન્ય પદ્ધતિથી આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે.આ રીતે સરકાર પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે અને રાજકોષિય ખાધને અંકૂશમાં રાખવામાં મદદ મળશે, આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ચરને પણ લાંબા ગાળે ટેકો મળી રહેશે.જૂની અને વર્તમાન સ્થિતિમાં રહેલી એસેટમાં ખાનગી રોકાણ આકર્ષિત કરવાની યોજનાને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન એટલે કે NMP નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ માર્ગ અને રેલવે સંપત્તિઓ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈનોનું વેચાણ કર્યાં વગર તેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ લાવી શકાશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ અંગે એક વ્યાપક રૂપરેખા જાહેર કરી હતી.છ લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજનાને આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોંચ કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે અર્થતંત્રમાં રિવાઈવલ માટે ઈન્ફ્રા સેક્ટર મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે સરકાર જાહેર સંપત્તિમાં ખાનગી રોકાણ લાવવા માટે તેમનું મોનેટાઈઝેશન કરશે. ​​​​​​​નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ પ્રસંગે કહ્યું કે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન હેઠળ 20થી વધારે એસેટ ક્લાસને મોનેટાઈઝ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષ એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 88,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવાની યોજના ઘડવામાં આવી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here