વિમાનમાં 222 મુસાફર હતા, એરપોર્ટ પર ઇમર્જન્સી જાહેર કરાઈ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું

0
9
શારજાહથી કોચી આવી રહેલી ફ્લાઇટમાં હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ
વિમાન રનવે 9 પર ઉતરાણ બાદ એન્જિન બંધ થઈ ગયું હતું.

તિરુવનંતપુરમ : UAEના શારજાહથી કેરળના કોચી જતી એર અરેબિયાની ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. જોકે પાયલોટની સમજણને કારણે એનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં 222 મુસાફર અને 7 ક્રૂ-મેમ્બર સવાર હતા. બધા મુસાફરો સુરક્ષિત છે.કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)એ જણાવ્યું હતું કે એર અરેબિયા ફ્લાઈટ G9-426માં આ ખામી આવી હતી. પાયલટોએ આ અંગે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી. એરપોર્ટ પર સંપૂર્ણ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને પ્લેન સાંજે 7:29 વાગ્યે લેન્ડ થયું હતું. સવારે 8:22 વાગ્યે ઇમર્જન્સી પાછી ખેંચી લેવામાં આવી હતી.DGCA(ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વરિષ્ઠ એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન રનવે 9 પર ઉતરાણ બાદ એન્જિન બંધ થઈ ગયું હતું.એર અરેબિયાના વિમાન સાથે બે મહિનામાં આ બીજી ઘટના છે. અગાઉ 6 જૂન, 2022ના રોજ ચિટગાંવથી અબુ ધાબીએર અરેબિયા જઈ રહેલા વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. અમદાવાદમાં તેમનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે પાઈલટ્સને એન્જિન નંબર-1માં ખામી હોવાની જાણ થઈ ત્યારે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. તેનું બીજા એન્જિનથી સુરક્ષિત ઉતરાણ કરવામાં આવ્યું હતું.