ગુજરાતની શિક્ષણ સંસ્થાઓમાં જ શૌચાલયનો અભાવ, ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર

0
31

એક તરફ ભાજપ સરકાર દેશભરમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવી રહી છે. બીજી તરફ શિક્ષણ સંસ્થાઓમાં જ શૌચાલયના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી પડી છે. વાત છે ગાંધીનગરની, કે જ્યાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કુલ 934 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત 2 જ શૌચાલય છે. તેમાં પણ મુખ્ય શૌચાલયની ગટર ચોક-અપ થઇ જતી હોવાથી 100થી વધુ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો.