Monday, September 14, 2026
HomeGujaratસાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની વડોદરાના વેપારીઓની માગ

સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની વડોદરાના વેપારીઓની માગ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

દુકાનો ખુલ્યા બાદ હવે મલ્ટીપ્લેક્ષ અને ટીચિંગ ક્લાસિસના સંચાલકોએ પણ છૂટછાટ આપવા માગ કરી

વડોદરા: કોરોનાની ઘાતક બીજી લહેરને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. 23 દિવસના લોકડાઉન બાદ સરકાર દ્વારા આજથી નિર્ધારિત બપોરે ત્રણ વાગ્યા સુધી બજારો ખોલવાની છૂટ આપવામાં આવતા બજારો ધમધમી ઉઠ્યા હતા. સવારે બજારો ખુલતાની સાથે શહેરના માર્ગો ઉપર ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. જોકે, વેપારી એસોસિએશન દ્વારા છૂટછાટનો સમય વધારવા માગણી કરવામાં આવી છે.કોરોનાની મહામારીની બીજી લહેરમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. હજુ પણ દિન-પ્રતિદિન 800 ઉપરાંત કોરોનાના કેસો આવી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા આંશિક લોકડાઉનનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. 20 મેના રોજ આંશિક લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણ થતાં સરકાર દ્વારા આ આંશિક લોકડાઉનને તારીખ 26 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, વેપારીઓની માગને ધ્યાનમાં લઈને સરકારે આંશિક લોકડાઉનમાં કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવાની શરતો સાથે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાન ખોલવા માટે મંજૂરી આપી છે. પરિણામે આજે સવારથી જ વેપારીઓ પોતાના વેપાર ધંધા, રોજગારના સ્થળો ઉપર પહોંચી ગયા હતા અને વેપાર, ધંધો શરૂ કરી દીધો હતો. 23 દિવસના આશિક લોકડાઉન બાદ આજે સવારે 9 વાગ્યે બજારો ખુલતાની સાથે જ શહેરના રાજમાર્ગો વાહનોથી ધમધમી ઉઠ્યા હતા. તો બજારોમાં પણ દુકાનો ખુલતાની સાથે જ ગ્રાહકો જોવા મળ્યા હતા. સરકાર દ્વારા બપોરે 3 વાગ્યા સુધી બજારો ખોલવા ખોલવાની મંજૂરી આપતા કેટલાક વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો, તો કેટલાક વેપારીઓએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, ધંધાનો ખરો સમય સાંજનો હોય છે, ત્યારે સરકારે વધુ છૂટછાટ આપવી જોઈએ.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here