વાવઝોડાની અસર ચોમાસાની પેટર્ન પર થશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

0
31
.અરબી સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ છે.અને દેશના દક્ષિણ છેડે સમુદ્રનું તાપમાન ઊંચું છે.
.અરબી સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ છે.અને દેશના દક્ષિણ છેડે સમુદ્રનું તાપમાન ઊંચું છે.

કેરળમાં ચોમાસું નિર્ધારિત સમય પહેલા આવી જવાની શક્યતા : અંબાલાલ પટેલ

વાવઝોડું ટાઉતે ના કારણે સૌરાષ્ટ્રમાં બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે.જોકે વાવઝોડાના કારણે ગુજરાતમાં વરસાદપણ થયો અને મોટું નુકસાન પણ થયું.બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે. વવાઝોડોની મુશ્કેલી વચ્ચે પણ ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જગતનો તાત જોઈ રહ્યો છે.જોકે ચોમાસાની શરૂઆત અંદમાનના દરિયા કિનારાથી થાય છે અને અંદમાનના ચોમાસાની શરૂઆત થયા બાદ કેરળ તરફ આગળ વધે છે દેશમાં ચોમાસાની શરૂઆતને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.કે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું શરૂ થઈ જશે.અંદમાન ટાપુ પર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે.તો બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.અરબી સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ છે.અને દેશના દક્ષિણ છેડે સમુદ્રનું તાપમાન ઊંચું છે.ઘણા બધા પરિબળના કારણે ચાલુ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું આવી જવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.જો વાવઝોડુ બંગાળના ઉપસાગર પર વધુ અસર કરે તો જુનના ચોમાસાની શરૂઆત નબળી થઈ શકે કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ચોમાસું આગળ વધશે.અને ગુજરાતમાં ચોમાસુ 15 જૂન બાદ શરૂ થાય છે.જોકે કેરળમાં વહેલું ચોમાસુ શરૂ થશે તો પણ ગુજરાતમાં સમયસર ચોમાસુ આવશે. 15 થી 17 જુનના સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં વરસાદ થવાની શકયતા છે.21 જુનના પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.ચોમાસાનો વરસાદ 98 ટકા રહેવાનું અનુમાન છે.