Wednesday, March 11, 2026
Homenationalટ્રમ્પનું બેવડું વલણ: મોદી-ઇમરાન ખાન, બન્ને મારા સારા મિત્રો

ટ્રમ્પનું બેવડું વલણ: મોદી-ઇમરાન ખાન, બન્ને મારા સારા મિત્રો

Date:

spot_img

Related stories

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
spot_img

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બે પરમાણુ શક્તિઓ છે અને એવામાં બન્ને દશોએ કાશ્મીરના મુદ્દાને ઉકેલવો જોઈએ.

તેઓ બન્ને દેશ વચ્ચેનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે આ વાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યા બાદ એક પ્રેસ-કૉન્ફરન્સમાં કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે જો તમે બન્ને વડા પ્રધાનો તરફ જુઓ તો બન્ને મારા સારા મિત્રો છે. હું તેમને કહું છું કે તેઓ એને ઉકેલી દે, કારણ કે તેઓ બન્ને પરમાણુ શક્તિ છે. નોંધનીય છે કે ટ્રમ્પે સોમવારે ઇમરાન ખાન સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ બીજા દિવસે તેમણે નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી વાતચીત કરી હતી.

ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે છેલ્લા થોડા સમયમાં અનેક વાર મધ્યસ્થીની રજૂઆત કરી છે. તેઓએ ફરી એક વાર આ મુદ્દે મદદની વાત કરી છે.

તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં અમે કાશ્મીર વિશે વાત કરી અને હું જે પણ મદદ કરી શકું છું એની મેં રજૂઆત કરી અને એ મદદ મધ્યસ્થી છે. હું જે કરી શકું છું એ કરીશ, કારણ કે આ ખૂબ ગંભીર મામલો છે અને આશા રાખું કે એ સારી સ્થિતિમાં થઈ જશે.

ભારતનું માનવું છે કે કાશ્મીર એક દ્વિપક્ષી મામલો છે અને એમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ તેમને મંજૂર નથી.

ટ્રમ્પનાં નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ર‌વિશ કુમારે કહ્યું કે આ મુદ્દે વડા પ્રધાન અને વિદેશસચિવ પહેલાં જ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here