Sunday, May 19, 2024
HomeGujaratસાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની વડોદરાના વેપારીઓની માગ

સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની વડોદરાના વેપારીઓની માગ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

દુકાનો ખુલ્યા બાદ હવે મલ્ટીપ્લેક્ષ અને ટીચિંગ ક્લાસિસના સંચાલકોએ પણ છૂટછાટ આપવા માગ કરી

વડોદરા: કોરોનાની ઘાતક બીજી લહેરને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. 23 દિવસના લોકડાઉન બાદ સરકાર દ્વારા આજથી નિર્ધારિત બપોરે ત્રણ વાગ્યા સુધી બજારો ખોલવાની છૂટ આપવામાં આવતા બજારો ધમધમી ઉઠ્યા હતા. સવારે બજારો ખુલતાની સાથે શહેરના માર્ગો ઉપર ચહલપહલ શરૂ થઇ ગઇ હતી. જોકે, વેપારી એસોસિએશન દ્વારા છૂટછાટનો સમય વધારવા માગણી કરવામાં આવી છે.કોરોનાની મહામારીની બીજી લહેરમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. હજુ પણ દિન-પ્રતિદિન 800 ઉપરાંત કોરોનાના કેસો આવી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા આંશિક લોકડાઉનનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. 20 મેના રોજ આંશિક લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણ થતાં સરકાર દ્વારા આ આંશિક લોકડાઉનને તારીખ 26 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, વેપારીઓની માગને ધ્યાનમાં લઈને સરકારે આંશિક લોકડાઉનમાં કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવાની શરતો સાથે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાન ખોલવા માટે મંજૂરી આપી છે. પરિણામે આજે સવારથી જ વેપારીઓ પોતાના વેપાર ધંધા, રોજગારના સ્થળો ઉપર પહોંચી ગયા હતા અને વેપાર, ધંધો શરૂ કરી દીધો હતો. 23 દિવસના આશિક લોકડાઉન બાદ આજે સવારે 9 વાગ્યે બજારો ખુલતાની સાથે જ શહેરના રાજમાર્ગો વાહનોથી ધમધમી ઉઠ્યા હતા. તો બજારોમાં પણ દુકાનો ખુલતાની સાથે જ ગ્રાહકો જોવા મળ્યા હતા. સરકાર દ્વારા બપોરે 3 વાગ્યા સુધી બજારો ખોલવા ખોલવાની મંજૂરી આપતા કેટલાક વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો, તો કેટલાક વેપારીઓએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, ધંધાનો ખરો સમય સાંજનો હોય છે, ત્યારે સરકારે વધુ છૂટછાટ આપવી જોઈએ.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here