Friday, June 5, 2026
HomeGujaratઆજે વિશ્વ ઊંટ દિવસ: ભરુચના આલીયા બેટ પર છે બીજું કચ્છ -...

આજે વિશ્વ ઊંટ દિવસ: ભરુચના આલીયા બેટ પર છે બીજું કચ્છ – 1572માં કચ્છથી ફકીરણી સમુદાયના લોકો ચરિયાણની શોધમાં જઇને વસ્યા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભુજ: 22 મી જૂન વિશ્વ ઊંટ દિવસ માનવામાં આવે છે. કચ્છમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન દ્વારા ઊંટ પાલકોને સંગઠિત કરી એમનો લોક સંગઠન બનાવીને ઊંટો પાલન વ્યવસાયને પુનઃ જીવિત કરવામાં આવ્યો છે. આજે ભારતની પ્રથમ ઊંટડીના દુધની ડેરી કચ્છમાં કાર્યરત છે, દૂધનો માર્કેટીગ અમુલ દ્વારા કરવામાં આવી રહયો છે. પરંતુ ઊંટની એક નસલ ખારાઇ હાલ રાજ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે.દરિયામાં જઇ ચેરીયાના વૃક્ષો ખાતા આ ખારાઇ ઊંટ અને માલધારીઓ ખાસ કરીને ભરૂચના આલીયા બેટ પર અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. એક સમયે ભરૂચનો આલીયા બેટ વિસ્તાર એ ખારાઈ ઊંટો માટે સ્વર્ગ માનવામાં આવતો હતો, છેક 1572માં કચ્છથી ફકીરણી જત સમુદાયના લોકો ચરિયાણની શોધમાં અહી આવીને વસ્યા હતા, આજે પણ આ વિસ્તારમાં બીજો કચ્છ વસાવ્યો છે, પર્યાવરણીય સમતુલા જાળવી રાખવા ફકીરાણી જત સમુદાય પરમ્પરાથી સ્થળાંતર કરે છેપ જેથી પશુઓને સારો ચરિયાણ મળી રહે છે.અહીંના ખારાઈ ઊંટ પાલકોના જણાવ્યા અનુસાર આશરે 1572માં કચ્છથી ફકીરાણી જત સમુદાયના પશુપાલકો ભરૂચના આલીયા બેટ વિસ્તારમાં સ્થાઈ થયો હતો. મુખ્યત્વે ખારાઈ નસલના ઊંટો માટે વિસ્તાર ઉત્તમ ચરિયાણ હતો, જેમાં ચેરિયા અને ખારીજારના જંગલો અહી હતા. આ વિસ્તારમાં ચોમાસામાં ગુજરાતના તમામ પશુપાલકો અહી પશુઓને લઈ આવતા હતા અને 3-4 મહિના મીઠો ઘાસ ચરિયાણ કરાવતા હતા.સીધીક્ભાઈ જતના જણાવ્યા અનુસાર આલીયા બેટમાં આંજે જે બંજર વિસ્તાર દેખાય ત્યાં તો હોડીથી જવું પડતુ. નદી સમુદ્રને મળતી ત્યાં તો ગીચ પ્રમાણમાં ચરિયાના જંગલો હતા. જેમાં ઊંટ ચરિયાણ કરતા હતા, નર્મદા નદી અને સમુદ્ર નો મિલન અહી થતો હતો જેથી મીઠા ઝાડ અને ઘાસ પણ સારા પ્રમાણમાં થતો, જેથી અહી અન્ય પશુ પક્ષીઓ અને જૈવ વિવિધતા પણ સારી ફળી ફૂલી હતી, ત્યાર બાદ સરકાર દ્વારા અહી જીંગા ઉછેર અને મીઠાના ઉત્પાદનની કામગીરી શરુ કરવામાં આવી અને જેથી મીઠા ઘાસ અને ચેરિયાઓ ઓછા થવા લાગ્યા અને ખારાશ વધવા લાગી. તો જત સમુદાયના લોકો ભેંસ પાલન તરફ વળવા લાગ્યા આજે 825 જેટલા ખારાઈ ઊંટો છે, જે ફક્ત લાણા, ખારિયો અને ઉઈન જેવા ફકત ખારા ઘાસ પર આશ્રિત છે.માલધારાીની માંગ છે કે ખારાઈ ઊંટનો મુખ્ય ચરિયાણ ચેરિયા છે, જે અલ્યાબેટમાં ખુબ જ ઓછા થઈ ગયા છે, આસ પાસના ગામોની હદમાં આવતા ચેરિયાઓમાં ખારાઈ ઊંટને પરવાનગી આપવામાં આવે તો ઊંટો માટે ખુબ જ ઉપયોગી થશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here