મગફળીનો પાક નિષ્ફળ જવાથી કુતિયાણાના ખેડૂતે ખેતરમાં જ જીવન ટુંકાવ્યું

0
22
news/SAU-POR-OMC-NL-crop-fails-kutiyana-farmers-suicide-gujarati-news-5977603-NOR.html?ref=ht
news/SAU-POR-OMC-NL-crop-fails-kutiyana-farmers-suicide-gujarati-news-5977603-NOR.html?ref=ht

કુતિયાણા તાલુકામાં ખેડૂતે આપઘાત કર્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. માંડવા ગામે રહેતા લખમણભાઈ આહીર નામના ખેડૂતે પોતાની જ વાડીએ ગળાફાસો ખાઈ જીવન ટૂકાવી લીધુ છે. તેમણે 30 વીધા જમીનમાં મગફળી વાવી હતી. પરંતુ સમગ્ર પાક નિષ્ફળ જતા આ પગલુ ભર્યુ હોવાનું પરિવારના લોકોનું કહેવું છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે કુતિયાણા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.