Saturday, March 7, 2026
Homenational૩૫-એની તરફ ઉઠનાર હાથ બળીને રાખ થશે : મહેબુબા

૩૫-એની તરફ ઉઠનાર હાથ બળીને રાખ થશે : મહેબુબા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

જમ્મુ કાશ્મીરની સમસ્યા રાજકીય છે અને તેને સૈન્યરીતે ઉકેલી શકાય તેમ નથી : મહેબુબાની ફરીએકવખત દલીલ

શ્રીનગર, તા. ૨૮
કાશ્મીરમાં ૩૫-એને લઇને છેડાયેલી ચર્ચા દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ એક ભાષણ દરમિયાન આજે અહીં સુધી કહી દીધું હતું કે, ૩૫-એની તરફ જા કોઇ હાથ ઉઠશે તો બળીને રાખ થઇ જશે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની કંપનીઓ તૈનાત કરવાના નિર્ણય બાદથી જ પીડીપી અને નેશનલ કોન્ફરન્સની ઉંઘ હરામ થઇ ગઇ છે. એકબાજુ કેન્દ્ર સરકારના સુત્રો કહી રહ્યા છે કે, કાશ્મીરમાં પાકિસ્તાની ત્રાસવાદીઓ મોટા હુમલા કરવાના અહેવાલ આવી રહ્યા છે જેથી વધારાના જવાનો ગોઠવવામાં આવી રહ્યા છે. મહેબુબા મુફ્તીએ આજે કહ્યું હતું કે, ૩૫-એની સાથે કોઇપણ છેડછાડ કરવાનો મતલબ દારુગોળાને સ્પર્શ કરવાનો રહેશે જે ૩૫-એની સાથે છેડછાડ કરશે તેના હાથ જ નહીં બલ્કે સમગ્ર શરીરના હિસ્સા બળી જશે. આ પહેલા શનિવારના દિવસે પણ મહેબુબા મુફ્તીએ વધારાની ૧૦૦ કંપનીઓ તૈનાત કરવાને લઇને કેન્દ્ર સરકારના નિર્ણયની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર એક રાજકીય સમસ્યા છે જેને લશ્કરીરીતે ઉકેલી શકાય તેમ નથી. પીડીપીનું કહેવું છે કે, કેન્દ્રને પોતાની કાશ્મીર નીતિ ઉપર ફેરવિચારણા કરવાની જરૂર છે. મહેબુબાએ Âટ્‌વટ કરીને કહ્યું છે કે, વધારાના ૧૦૦૦૦ જવાનોની તૈનાતીના નિર્ણયથી ખીણના લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. મહેબુબાએ દલીલ કરતા કહ્યું હતું કે, કાશ્મીરમાં સુરક્ષા દળોની કોઇપણ પ્રકારની કમી નથી. જમ્મુ કાશ્મીર એક રાજકીય સમસ્યા છે જેને સૈન્ય મારફતે ઉકેલી શકાશે નહીં. આ દિશામાં ફેરવિચારણા અને સુધારા કરવાની જરૂર દેખાઈ રહી છે. મહેબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના સભ્યો વધારાના સુરક્ષા જવાનોની તૈનાતીના અહેવાલથી હચમચી ઉઠ્યા છે અને તેમને કોઇ મોટા પગલાની દહેશત સતાવી રહી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here