Friday, June 26, 2026
HomeGujaratCorona update :દેશમાં 81 દિવસ બાદ કોરોનાનો મૃત્યુદર ઘટ્યો,ગુજરાતના ચાર જિલ્લામાં સાત...

Corona update :દેશમાં 81 દિવસ બાદ કોરોનાનો મૃત્યુદર ઘટ્યો,ગુજરાતના ચાર જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

 દેશભરમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી. ત્યારે તબીબો હવે કોરોનાની બીજી લહેર સમી રહી હોવાનું કોરોનાના કેસના આધારે કહી રહ્યા છે. ગઈ 12 મી એપ્રિલ પછી પહેલીવાર, ગઈકાલ રવિવાર, 27 જૂનના રોજ કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો 1000 ની અંદર નોંધાયો છે. ગુજરાતના ચાર જિલ્લામાં કોરોનાના નવા એક પણ કેસ છેલ્લા એક સપ્તાહથી નોંધાયા નથી.કોરોના મહામારીની બીજી લહેરથી સમગ્ર દેશમાં રોજબરોજના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા હતો. જો કે હવે તેમા રાહતના સમાચાર એ છે કે, કોરોનાને કારણે દર્દીઓ અને મૃત્યુઆંક ઝડપથી ઘટી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના દર્દીઓ અને મૃત્યુઆંક સતત નીચે આવે છે. ગઈકાલ 27મી જૂનના રોજ, સમગ્ર દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ભારે ઘટાડો થતા, સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.છેલ્લા એક સપ્તાહના આંકડાની સરખામણી કરીએ તો, 38 ટકા મૃત્યુઆંક ઓછો થયો છે. છેલ્લા એક સપ્તાહની સરેરાશ મુજબ કોરોનાનો મૃત્યુદર 1000ની અંદર રહ્યો છે. 27મી જૂનના રોજ, દેશમાં કોરોના સંક્રમણ પામેલા 689 દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. જે 81 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આ અગાઉ, 7 એપ્રિલે 685 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.દેશમા માત્ર મૃત્યુદર જ ઘટ્યો છે એવુ નથી. કોરોનાના નવા કેસ પણ બહુ ઓછા સામે આવી રહ્યાં છે. દેશમાં કોરોનાના નવા કેસ પણ 50 હજારની અંદર નોંધાયા છે. કોરોનાના નવા કેસ નોંધાવવાની સાપ્તાહિક સરેરાશ જોઈએ તો, તે પણ ઘટી રહી છે. જે સારી વાત કહેવાય. દેશમાં 25 માર્ચે કોરોનાના નવા કેસની સંખ્યા 25 હજારે પહોચી હતી. ત્યાર બાદ તેમા વધારો નોંધાયો હતો. જે હવે ઉતરોત્તર ઘટી રહ્યો છે.ગુજરાતમાં 27 જૂનના રોજ કોરોનાના નવા 112 કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. કોરોનાના નવા કેસની સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,244 થઇ છે, ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1, વડોદરા જિલ્લામાં 1 અને ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.ગુજરાતમાં છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોરોનાના એક પણ કેસ ના નોંધાયા હોય તેવા ચાર જિલ્લાઓ છે. જેમાં છોટા ઉદેપુર, ડાંગ અને બોટાદ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી તો મોરબીમાં પણ છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here