Friday, May 17, 2024
HomeGujaratદેવેન્દ્ર ફડણવીસની જાહેરાત: OBCને અનામત નહીં અપાવી શકું તો રાજકારણ છોડી દઈશ

દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત: OBCને અનામત નહીં અપાવી શકું તો રાજકારણ છોડી દઈશ

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં હાલ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના અધિકારોને લઈને ખૂબ જ આક્રમક જોવા મળી રહી છે. રાજ્યની સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામતનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. શનિવારે ભાજપના મહારાષ્ટ્ર એકમે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત પુનઃસ્થાપિત કરવાની માગણીને લઈને રાજ્યવ્યાપી ચક્કાજામ કર્યું હતું. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામત લાગુ કરશે અને જો તેઓ તેમાં નિષ્ફળ રહેશે તો પોતે રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે. ઓબીસી અનામત પુનઃસ્થાપિત કરવાને લઈ રાજ્યવ્યાપી ચક્કાજામ દરમિયાન નાગપુરમાં વેરાઈટી સ્ક્વેર ચોક ખાતે દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર લોકોને એમ કહીને છેતરી રહી હતી કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. હકીકતે સત્ય એ છે કે, આ મુદ્દો રાજ્ય સ્તરે જ ઉકેલી શકાય તેમ છે. રાજ્ય સરકાર કાયદો બનાવીને સ્થાનિક સંસ્થાઓમાં આરક્ષણ લાગુ કરી શકે છે. વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, મહાવિકાસ અઘાડી સરકાર ઓબીસીનું રાજકીય આરક્ષણ પુનઃસ્થાપિત કરે અથવા મને સત્તા સોંપી દે. જો અમે 4 મહિનામાં ઓબીસીને ફરી રાજકીય આરક્ષણ નહીં અપાવી શકીએ તો રાજકારણ છોડી દઈશ. 

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here