જગન્નાથની રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા, 8 કળશમાં પાણી લાવી જળાભિષેક કરાશે, 50થી ઓછાં લોકો હાજર રહેશે

0
17
સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.
સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.

અમદાવાદ: કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તેના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જો કે રથયાત્રા પહેલા આવતીકાલે ગુરુવારે જળયાત્રા મહોત્સવ યોજાશે. સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરેથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. સવારે 9.30 વાગ્યાની આસપાસ આ જળયાત્રા યોજાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે.મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરવાવવામાં આવશે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહેશે. માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાશે.સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છેજળયાત્રામાં 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાય છે પરંતુ કોરોના મહામારીના કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની 144મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.