Friday, June 5, 2026
HomeWorldઇમરાન ખાનને સર-એ-આમ ફાંસી આપવા માંગ તેને મુક્ત કરનાર જજને પણ હટાવવાની...

ઇમરાન ખાનને સર-એ-આમ ફાંસી આપવા માંગ તેને મુક્ત કરનાર જજને પણ હટાવવાની કરાયેલી માગણી

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...
પાકિસ્તાનમાં રાજકીય ગતિવિધિએ રફતાર પકડી છે. ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાં જામીન મળ્યા પછી વિપક્ષો એક થઈ ગયા છે. ઇમરાનની મુકિત સામે એક તરફ સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રદર્શનો થઈ રહ્યાં છે, તો બીજી તરફ સમવાયતંત્રી સંસદમાં ઇમરાનને ફાંસી આપવાની માગણી થઈ રહી છે.
નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા રાજા રિયાઝ અહમદ ખાને ઇમરાનને જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે તેને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તેને બદલે કોર્ટે તેનું સ્વાગત કરી રહી છે કે જાણે કે તે તેમનો જમાઈ હોય.
ઇમરાન ખાનની મુકિતના વિરોધમાં પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (પીડીએમ) સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રદર્શન કરી રહી છે. પીડીએમ તે વિવિધ રાજકીય પક્ષોનું સંગઠન છે. જેમાં સત્તાધારી પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ), જમીયત ઉલેમા એ ઇસ્લામ ફઝલ (જેયુઆઈએફ) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ છે. તેમણે દેશના મુખ્ય ન્યાયાધિશ વિરુદ્ધ પણ નારા બાજી કરી હતી.
તે સર્વ વિદિત છે કે ઇમરાનની ધરપકડ પછી સમગ્ર દેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે. તેમાં લાહોરમાં તો અસામાન્ય તોફાનો ફાટી નીકળ્યા હતા. (લાહોર ઇમરાનનું વતનનું શહેર છે) ત્યાં તો ૭ દિવસ સુધી કલમ ૧૪૪ લાગુ કરાઈ છે.
બીજી તરફ ઇમરાન ખાનને તુર્ત જ મુકત કરવાનો આદેશ આપનાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉમર યાતા બંદીયાલ વિરુદ્ધ પણ નારાબાજી થઈ હતી. નેશનલ એસેમ્બલીમાં પણ એક પ્રસ્તાવ પસાર કરાયો છે કે જેમાં કોર્ટના જજો વિરુદ્ધ રેફરન્સ (સંદર્ભ) તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિ રચવા માગણી કરાઈ છે. બંદીયાલનાં તે ચુકાદા પછી પાકિસ્તાન સરકાર ખુલ્લે આમ તેની વિરુદ્ધ થઈ ગઈ છે અને તેઓ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવા નિર્ણય કરાયો છે.
પાકિસ્તાનની સત્તા રૂઢ ગઠબંધન સરકારે ન્યાયપાલિકા ઉપર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો પક્ષ લેવાનો રાજકારણમાં સામેલ થવાનો અને હુમલા કરનાર હુમલાખોરોનું સમર્થન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here