Sunday, June 7, 2026

Aksheshkumar Savaliya

spot_img

એર ઈન્ડિયા અમદાવાદની તમામ ફ્લાઈટની કામગીરી 29 માર્ચથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરશે

એર ઈન્ડિયાએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની ડોમેસ્ટિક ફ્લાઈટની તમામ કામગીરી 29 માર્ચ 2026ના રોજથી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરવાની જાહેરાત કરી છે. આ સ્થાનાંતરણમાં એર ઈન્ડિયાના અમદાવાદથી અને અમદાવાદ સુધી ચાલતી 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે, એરલાઈનની અમદાવાદથી ઉડાન અને ઉતરાણ કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ટર્મિનલ-2 પર અગાઉથી જ કાર્યરત છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ ટર્મિનલ-2 પર થશે. એર ઈન્ડિયાના તમામ આગમન અને પ્રસ્થાનો 29 માર્ચથી ફક્ત ટર્મિનલ 2 પરથી જ કાર્યરત થશેએર ઈન્ડિયા દ્વારા આ ફેરફાર અમદાવાદથી અને અમદાવાદમાં મુસાફરી કરતાં ગ્રાહકોના એરપોર્ટઅનુભવમાં વધારો કરવાના પ્રયાસોના ભાગરૂપે હાથ ધરાયો છે. 49,000 ચોરસ મીટરના બિલ્ટઅપ વિસ્તારમાં ફેલાયેલું ટર્મિનલ-2 મુસાફરોને નોંધપાત્ર રીતે અપગ્રેડેડ અનુભવ પ્રદાન કરે છે. 52ચેકઈન કાઉન્ટર, સેલ્ફબેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા કિઓસ્ક,17 ડિપાર્ચર ઈમિગ્રેશન કાઉન્ટર,22 અરાઇવલ ઈમિગ્રેશન કાઉન્ટર, ડિપાર્ચર અને અરાઇવલ પર8 ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન ઈગેટ્સ અને રિટેલ તથા એફએન્ડબી વિકલ્પોની વિશાળ રેન્જથી સજ્જ છે. એર ઈન્ડિયાએ અમદાવાદથી અને અમદાવાદ જઈ રહેલા તમામ મુસાફરોને એસએમએસમેઈલ અને અન્ય સીધા કોમ્યુનિકેશન માધ્યમોની મદદથી ટર્મિનલમાં ફેરફાર વિશે સક્રિયપણે સૂચિત કરવાનું શરૂ કર્યું છે. મુસાફરોને છેલ્લી ઘડીએ અસુવિધા ન નડે તે હેતુ સાથે એરપોર્ટ પર જતાં પહેલાં મુસાફરોને પોતાના ટર્મિનલની માહિતી બે વાર ચકાસવા સલાહ પણ આપી છે.

ભારતમાં 71 ટકા લોકો પોતાના સૌથી પ્રિય ક્ષણો લિવિંગ રૂમમાં વિતાવે છે

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટિરિયો બાય ગોદરેજે આજે ‘મોમેન્ટ્સ ધેટ મેટર’(એમટીએમ) નામનો અભ્યાસ રજૂ કર્યો છે, જે આધુનિક ભારતીય ગ્રાહકો માટે ઘર અને કામના સ્થળે રોજિંદા અનુભવ કેવી રીતે ભાવનાત્મક સુખાકારી, જોડાણ અને આરામને પ્રભાવિત કરે છે તે અંગે ઊંડાણપૂર્વક સમજ આપે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ઊંઘ, રસોઈ અને શાંતિપૂર્ણ વ્યક્તિગત સમય જેવી રોજિંદી પ્રવૃત્તિઓ આજે ભારતીયો પોતાના રહેણાંક સ્થળો સાથે કેવી રીતે જોડાય છે તેમાં કેન્દ્રસ્થાને છે.‘મોમેન્ટ્સ ધેટ મેટર’(એમટીએમ) અભ્યાસ દર્શાવે છે કે અમદાવાદના રહેવાસીઓ સંબંધોને સંભાળવા અને મજબૂત બનાવવા માટે પોતાના ઘરની જગ્યાનો કેવી રીતે ઉપયોગ કરે છે. 53 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે બેડરૂમ મુખ્ય “કૂલિંગઓફ” ઝોન તરીકે કામ કરે છે, જે પ્રાઇવેટ સ્પેસ પૂરી પાડે છે, ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે અને સંબંધોને ટકાવી રાખવામાં સહાયરૂપ બને છે. ઉપરાંત,95 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે ડિનરનો સમય પરિવાર સાથે જોડાણ માટેની સૌથી આનંદદાયક ક્ષણ છે, જે દર્શાવે છે કે ઘર વિરામની ક્ષણો અને સાથે મળીને સમય પસાર કરવાની બંને જરૂરિયાતોને સમર્થન આપે છે. વધુમાં,87 ટકાથી વધુ ઉત્તરદાતાઓ સાંજના સમયે પોતાના પ્રિયજનો સાથે દિવસના અનુભવો શેર કરવાનું મહત્વપૂર્ણ માને છે, જે બતાવે છે કે રોજિંદા જીવનમાં ઘર વિચારમંથન અને જોડાણ બંનેને પ્રોત્સાહન આપે છે. અભ્યાસના તારણો અંગે પ્રતિભાવ આપતાં ઇન્ટિરિયો બાય ગોદરેજના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ કન્ઝ્યુમર બિઝનેસ (બીટુસી) ડો. દેવ નારાયણ સરકારે જણાવ્યું હતું કે, “મોમેન્ટ્સ ધેટ મેટર અભ્યાસ માત્ર સંશોધનથી વધારે છે. તે ભારતીય ગ્રાહકો ઘર અને કામના સ્થળે ડિઝાઇનના ભવિષ્યને કેવી રીતે જોવે છે તે અંગે એક મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ આપે છે. ઝડપથી બદલાતા વિશ્વમાં ઘર અને કામના સ્થળો હવે માત્ર ભૌતિક જગ્યાઓ નથી, પરંતુ સુખાકારી, જોડાણ અને વ્યક્તિગત અભિવ્યક્તિના આશ્રયસ્થાન બની ગયા છે. આ અભ્યાસ ઇન્ટિરિયો દ્વારા ભારતીયો અને તેમના રહેણાંક સ્થળો વચ્ચે વિકસતા સંબંધને સમજવાની અમારી પ્રતિબદ્ધતાને ફરી મજબૂત બનાવે છે. અમારું વિઝન એ છે કે ભારતીયો તેમના રોજિંદા વાતાવરણનો અનુભવ કેવી રીતે કરે છે તેમાં પરિવર્તન લાવવું અને એવા ફર્નિચરનું નિર્માણ કરવું જે આધુનિક ભારતીય ગ્રાહકો માટે ખરેખર મહત્વપૂર્ણ ક્ષણોને વધુ સમૃદ્ધ બનાવે.” અભ્યાસના તારણો દર્શાવે છે કે ભારતીય ઘરોને હવે આધુનિક જીવનના દબાણ વચ્ચે સંતુલન અને જોડાણ પાછું અપાવતાં ભાવનાત્મક આધાર તરીકે વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. બેડરૂમ ઘરના ભાવનાત્મક કેન્દ્ર તરીકે સામે આવ્યો છે, જેમાં 90 ટકા ઉત્તરદાતાઓએ તેને આરામ, તાજગી અને વિશ્રામ સાથે જોડ્યો હતો. 54 ટકા ઉત્તરદાતાઓએ પોતાના ઘરની સૌથી પ્રિય ક્ષણોને પોતાના બેડમાં સુવા જવાની સાથે જોડી હતી, જે ઊંઘ, ઓળખાણ અને ભાવનાત્મક સુરક્ષા વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે. રસોડું હવે માત્ર ઉપયોગી જગ્યા ન રહી, પરંતુ ભાવનાત્મક જગ્યા તરીકે વિકસ્યું છે. 97 ટકા ઉત્તરદાતાઓએ એકલા અથવા પરિવાર સાથે રસોઈના કામને ધ્યાન કેન્દ્રિત રાખવાની ભાવના અને સંબંધ મજબૂત બનાવતી પ્રવૃત્તિ તરીકે ગણાવ્યું હતું. લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમ હજુ પણ ઘરના સામાજિક કેન્દ્ર તરીકે મહત્વ ધરાવે છે, જ્યાં ભોજનનો સમય દિવસની સૌથી આનંદદાયક રીત છે અને વાતચીત તથા હાસ્ય દ્વારા પરિવારોને એકસાથે લાવે છે. અભ્યાસમાં આગળ જાણવા મળ્યું હતું કે બાલ્કની શહેરોમાં શાંતિના આશ્રયસ્થાન તરીકે ઉભરી આવી છે. ચાર પૈકી ત્રણ ઉત્તરદાતાઓએ તેને શહેરી જીવનના ગડબડ વચ્ચે શાંતિ અને નવી દ્રષ્ટિ આપતી જગ્યા તરીકે વર્ણવી હતી. 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે બાલ્કનીમાં વહેલી સવારની ક્ષણો તેમને દિવસની શરૂઆત સ્થિર અને સંતુલિત રીતે કરવામાં મદદ કરે છે. કામના સ્થળ અંગેનો અભ્યાસ દર્શાવે છે કે અનૌપચારિક જોડાણો જેમ કે હળવી વાતચીત, કેફે બ્રેક અને સાથે મળીને કરવામાં આવતું લંચ સહકાર અને જોડાણ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારી રીતે ડિઝાઇન કરેલી જગ્યાઓ અને પ્રથમ દિવસે સ્વાગતપૂર્ણ વ્યવસ્થા પણ કર્મચારીઓમાં આરામ, પ્રેરણા અને વિશ્વાસ ઊભો કરવા માટે જરૂરી ગણાઈ હતી.

શ્રીહાસ તાંબેની બાયોકોન લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક, 1 એપ્રિલ, 2026થી અમલી

બાયોકોન લિમિટેડે (BSE: 532523; NSE: BIOCON) આજે ​​શ્રીહાસ તાંબેની 1 એપ્રિલ, 2026થી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંકની જાહેરાત કરી છે, આ માટે નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી...

ઓપરેશન “રેલ પ્રહરી”: સંવેદનશીલ મામલે તાત્કાલિક કાર્યવાહી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા “ઓપરેશન રેલ પ્રહરી” અંતર્ગત ઉચ્ચ સ્તરની સતર્કતા અને ત્વરિત સમન્વય દ્વારા એક સગીર બાળકીના અપહરણ...

ત્રેતાથી આજ સુધી દર રામનવમી એ રામને જન્માવ્યાં, છતાં હ્રદયમાં રામ જન્મ્યો નહીં!!

સૌ પ્રથમ તો ચૈત્રી નવરાત્રી પૂરી થઈ અને એ નિમિત્તે સદગુરુ ભગવાનનાં ચરણોમાં કોટી કોટી વંદન અને સાથે સાથે સ્વર્ગસ્થ મમ્મી પપ્પા તેમજ ઘર...

ડાક ટિકિટો પર પણ રામ રાજ્ય પ્રતિબિંબિત: ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’થી લઈને રામાયણના વિવિધ પ્રસંગો પર બહાર પાડવામાં આવી છે ડાક ટિકિટો – પોસ્ટમાસ્ટર...

ભગવાન શ્રી રામનો મહિમા દેશ અને દુનિયાભરમાં, ડાક ટિકિટોના માધ્યમથી પણ પ્રસારિત થઈ રહ્યો છે. ભારત ઉપરાંત, વિશ્વભરના 20 થી વધુ દેશોએ સમયાંતરે રામાયણ...

અયોધ્યામાં રામનવમીના પવિત્ર અવસરે આજે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ‘સૂર્યતિલક’ થયું

પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલ્લાને આ બીજું સૂર્ય તિલક છે. સૂર્ય તિલક બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્ત દરમિયાન કરવામાં આવ્યું હતું. ભગવાનના લલાટ પર નવ મિનિટ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img