જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના દિવસોનો કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો.
'અમે આટલો મોટો રોલ આપી રહ્યા છીએ તો તમારે…'
'ટેલી મસાલા'ને આપેલા...
ભારતની ખાનગી ક્ષેત્રની છઠ્ઠા નંબરની સૌથી મોટી બેંક યસ બેંકે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં તેની ડિજિટલ લીડરશિપને પુનઃસ્થાપિત કરી છે. બેંકે યુપીઆઈમાં પેઈ પીએસપી તરીકે 55.3 ટકાનો બજાર હિસ્સો અને પેયર પીએસપીમાં 33.3 ટકા હિસ્સો મેળવ્યો છે. બેંક આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS)માં પણ ટોચના સ્થાને છે જેમાં વ્યવહારોમાં લગભગ 30 ટકા અને દેશભરમાં 7.9 લાખથી વધુ આઉટલેટ્સના પાર્ટનર નેટવર્ક તથા એનઈએફટી વ્યવહારોમાં 24 ટકા હિસ્સો ધરાવે છે.ડિજિટલ ફર્સ્ટ અભિગમ સાથે યસ બેંક રિયલટાઇમ ઓપરેશન્સ માટે 1,500થી વધુ એપીઆઈ ઇન્ટિગ્રેટ કરે છે અને તેના ફ્લેગશિપ IRIS અને IRISBIZ સુપર એપ્સ દ્વારા 92 ટકા વ્યક્તિગત બચત ખાતા, 93 ટકા ચાલુ ખાતા અને 98 ટકા ક્રેડિટ કાર્ડ ડિજિટલ રીતે પહોંચાડે છે.ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સક્રિયપણે યોગદાન આપતાં યસ બેંક CBDC, OCEN, ONDC અને એમ્બેડેડ ફાઇનાન્સમાં તથા ‘Deliver the Bank’ જેવી ગ્રાહક પહેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે.યસ બેંકના ટ્રાન્ઝેક્શન બેંકિંગ ગવર્નમેન્ટ, એમએનસી અને ન્યૂ ઇકોનોમી બિઝનેસ, આઈબીયુ અને નોલેજ યુનિટ્સના કન્ટ્રી હેડ શ્રી અજય રાજને જણાવ્યું હતું કે બધા માટે નાણાંકીય સમાવેશ અને ભારતીય બેંકિંગમાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ અમારા વિશાળ વિઝનનો એક ભાગ છે. અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સે જે ઊંચાઇ હાંસલ કરી છે તે આ પરિવર્તનનો પુરાવો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક ટૂલ્સ સાથે નવીનતાને જોડીને ભારતીય બેંકિંગના ડિજિટલ પરિવર્તનમાં ભાગ લેવા અને તેનું નેતૃત્વ કરવાનો અમને ગર્વ છે, જે દેશભરમાં નાણાંકીય એક્સેસને સક્ષમ બનાવે છે.નવીનતા, વિશ્વાસ અને ગ્રાહક ધ્યાન દ્વારા સમર્થિત, યસ બેંકનો ઉદ્દેશ્ય વ્યક્તિગત, સરળ અને ટેક સક્ષમ બેંકિંગ સાથે ભારતના ડિજિટલ અર્થતંત્રમાં પોતાને વધુ મજબૂત બનાવવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને નવી ઊર્જા આપે તે રીતે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા (WRWWO), અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી શેફાલી ગુપ્તાના નેતૃત્વમાં ન્યુ રેલવે કોલોની, સાબરમતી ખાતે “હર રેલ ઘર તિરંગા” રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ આયોજનમાં 2000 થી વધુ રેલવે પરિવારજનો જોડાયા હતા. રેલીની શરૂઆત સાબરમતીના કોમ્યુનિટી હોલથી થઈ હતી અને રેલવે કોલોનીના વિવિધ માર્ગો પરથી પસાર થતાં દેશભક્તિના રંગમાં રંગાયેલા વાતાવરણમાં "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારા ગૂંજતા રહ્યા હતા.કાર્યક્રમમાં માનનીય વિધાયક ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે:“વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘હર ઘર તિરંગા’ના આહવાને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો છે અને રેલવે પરિવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે।”શ્રીમતી શેફાલી ગુપ્તા, જે વર્ષોથી જનસેવા અને સમાજ કલ્યાણના કાર્યમાં અગ્રણી છે, તેમણે જણાવ્યું હતું કે:“હર ઘર રેલ તિરંગા, હર દિલ મે ભારત – આ છે આપણી દેશભક્તિની સાચી ઓળખ.”તેમની પ્રેરણાથી આ અભિયાન માત્ર એક રેલી ન રહી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનો ઉત્સવ બની ગયોરેલી બાદ 500 થી વધુ ઘરોમાં કોલોનીવાસીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી 15 ઓગસ્ટના દિવસે દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક ફરકાવવામાં આવે. અમદાવાદ મંડળ દ્વારા 14 ઓગસ્ટ 2025 મણિનગર અને અન્ય રેલવે કોલોનીઓમાં પણ આ અભિયાન જારી રહેશે.આ વર્ષે સમગ્ર અમદાવાદ રેલ મંડળમાં 18,000 થી વધુ ઘરોમાં તિરંગાનું વિતરણ કરવાની યોજના છે. સાથે જ અમદાવાદ મંડળ ના પોતાના સ્ટાફ સાથે ખાસ “ફોટો તિરંગા સાથે” સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં રેલવે કર્મચારીઓએ પોતાનું તિરંગા સાથેનો ફોટો પાડીને @DRMAhmedabad ને ટૅગ કરવાનો છે #HarRailGharTiranga હેશટૅગ સાથે પોસ્ટ કરવાનું રહેશે. મંડળ શ્રેષ્ઠ ફોટોને એવોર્ડ પણ આપશે.