નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના એક બીસી જિંદાલ ગ્રૂપની સીએસઆર શાખા બીસી જિંદાલ ફાઉન્ડેશને જણાવ્યું છે કે તેના પોષણ સહાય કાર્યક્રમથી...
મુંબઈ: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બજાજ ફિનસર્વ લો ડ્યુરેશન ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ લો ડ્યુરેશન ડેટ સ્કીમ છે, જે લિક્વિડિટી અને લવચીકતા સાથે ટૂંકા ગાળાની આવક ઈચ્છતા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવી છે. ન્યૂ ફંડ ઑફર (એનએફઓ) 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2026 ના રોજ બંધ થશે.
ફંડના લોન્ચ અંગે વાત કરતાં, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ કંપની ના મુખ્ય રોકાણ અધિકારી, નિમેશ ચંદનએ જણાવ્યું, “લો ડ્યુરેશન ફંડ યિલ્ડ કર્વના શોર્ટ એન્ડ પર ઓછી અસ્થિરતા સાથે સતત રિટર્ન્સ ઈચ્છતા રોકાણકારો માટે એક ઑલ-વેધર સોલ્યુશન પ્રદાન કરે છે. જો કે પોલિસી રેટ્સ હાલમાં ન્યુટ્રલની નજીક છે, વ્યસ્ત ક્રેડિટ સીઝનને કારણે લિક્વિડિટી કડક રહેતાં ટૂંકા ગાળાની યિલ્ડ્સ ઊંચા સ્તરે છે, જે કોઈ મેક્રો સ્ટ્રેસને કારણે નથી. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, બહેતર રેટ ટ્રાન્સમિશન અને આરબીઆઇ દ્વારા સંતુલિત લિક્વિડિટી સપોર્ટથી દબાણમાં ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે એક્રૂઅલ આવક અને સંભવિત કેપિટલ ગેઇન મેળવવાની તક ઊભી થશે. આ ફંડ લિક્વિડિટી અને ડ્યુરેશનનું સક્રિય સંચાલન કરીને વિવિધ આર્થિક ચક્રોમાં સ્થિર, જોખમ-સમાયોજિત રિટર્ન્સ આપવાનો પ્રયાસ કરે છે.”
બજાજ ફિનસર્વ લો ડ્યુરેશન ફંડ પોર્ટફોલિયોની મેકોલે ડ્યુરેશન 6 મહિના થી 12 મહિના વચ્ચે જાળવી રાખશે, જેના કારણે વધારાના (સરપ્લસ) નાણાં ધરાવતા રોકાણકારો માટે તે યોગ્ય વિકલ્પ બને છે. આ સ્કીમ પરંપરાગત બચત વિકલ્પોની સરખામણીમાં એક વિકલ્પરૂપે ઉકેલ પૂરો પાડવાનું લક્ષ્ય રાખે છે, જેમાં ઇક્વિટી માર્કેટની અસ્થિરતાનો સામનો કર્યા વિના વધુ સારા એક્રૂઅલ અવસર મળી શકે છે.
આ ફંડ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના વિવિધિકૃત પોર્ટફોલિયોમાં રોકાણ કરશે, જેમાં મની માર્કેટ સિક્યુરિટીઝ, કોર્પોરેટ બોન્ડ્સ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી), સરકારી સિક્યુરિટીઝ પર ટ્રાયપાર્ટી રેપોઝ, ટ્રેઝરી બિલ્સ અને રેપોઝનો સમાવેશ થાય છે. સાથે જ, લિક્વિડિટી અને વ્યાજ દરના જોખમનું સક્રિય રીતે સંચાલન કરવામાં આવશે. કુલ ડ્યુરેશન ઓછી રાખતા, લાંબી અવધિના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મર્યાદિત એક્સપોઝર પણ રાખી શકાય છે.
આ ફંડ 6–12 મહિના માટે વધારાના નાણાં રોકવા ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ છે. તેનો ઉપયોગ તબક્કાવાર એસેટ એલોકેશન સ્ટ્રેટેજી માટે પણ કરી શકાય છે, જેમ કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) દ્વારા ધીમે ધીમે ઇક્વિટી અથવા હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરવું. આ રીતે, રોકાણકારો બજારમાં પ્રવેશના જોખમને સંભાળી શકે છે અને વચ્ચેના સમયગાળા દરમિયાન એક્રૂઅલ આવક મેળવી શકે છે.
આ સ્કીમનું સંયુક્ત સંચાલન નિમેશ ચંદન અને સિદ્ધાર્થ ચૌધરી દ્વારા કરવામાં આવશે અને તેનું બેન્ચમાર્ક નિફ્ટી લો ડ્યુરેશન ડેટ ઇન્ડેક્સ એઆઈ રહેશે. આ સ્કીમ પોટેન્શિયલ રિસ્ક ક્લાસ બી-III હેઠળ આવે છે, જે પ્રમાણમાં ઊંચો વ્યાજ દર જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ દર્શાવે છે.
આ સ્કીમમાં કોઈ એન્ટ્રી કે એક્ઝિટ લોડ નથી. નવો ફંડ ઑફર દરમિયાન ન્યૂનતમ અરજી રકમ ₹5,000 છે, જે રોકાણકારોને લવચીકતા અને સરળ ઉપલબ્ધતા પ્રદાન કરે છે.
અમદાવાદ મંડળ તેના રેલ નેટવર્કને વધુ સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની આવશ્યકતાઓને અનુરૂપ વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ક્રમમાં ગુજરાતના ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ તથા આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટીનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ખંડનું 9 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી ઈ. શ્રીનિવાસ, રેલ સુરક્ષા આયુક્ત (CRS), પશ્ચિમ સર્કલ દ્વારા ટ્રોલી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ ટીમમાં અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) શ્રી પ્રદીપ ગુપ્તા, મુખ્ય ટ્રેક ઈજનેર, મુખ્ય સંચાલન પ્રબંધક (જી) તેમજ નિર્માણ અને ઓપન લાઇન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.
આ પ્રોજેક્ટ અંતર્ગત 17 કિમી ટ્રેક લિંકિંગ, 8 નાના પુલોના નિર્માણ તેમજ 2.60 લાખ ઘન મીટર અર્થવર્ક કરવામાં આવ્યું છે. આદિપુર સ્ટેશન પર સિગ્નલ તથા ટેલિકોમ્યુનિકેશન (S&T) અને ઓપરેટિંગ કન્ટ્રોલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ચોથી લાઇન સહિત સમગ્ર સેકશનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. ગોપાલપુર સ્ટેશનને આધુનિક સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગાંધીધામ બી કેબિનમાં 16 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ તેમજ આદિપુર સ્ટેશન પર 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ સાથે 1 લૂપ લાઇન સહિત મહત્વપૂર્ણ યાર્ડ રીમોડેલિંગના કાર્ય કરવામાં આવ્યા છે.
ગાંધીધામ–આદિપુર બ્રોડગેજ રેલખંડ કંડલા અને મુન્દ્રા બંદરો સહિત ભુજ, વાયોર તથા અન્ય વિસ્તારોને દેશના વિવિધ ભાગો સાથે જોડતો એક અત્યંત મહત્વપૂર્ણ માલ પરિવહન માર્ગ છે. હાલમાં આ ખંડ અત્યંત વ્યસ્ત હોવાથી સંચાલન પર દબાણ રહે છે, જેને ઘટાડવા માટે બે વધારાની લાઇનોની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આ માર્ગ પરથી મીઠું તથા સામાન્ય માલની પણ મોટા પાયે હેરફેર થાય છે અને મુન્દ્રા બંદરની વધતી ક્ષમતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની સંભાવના છે.
આ ખંડ અમદાવાદ મંડળનો સર્વાધિક GMT (ગ્રોસ મિલિયન ટન) લોડિંગ ધરાવતો સેકશન છે, જ્યાંથી દર વર્ષે 70થી વધુ GMT લોડિંગ થાય છે. ચૌહરીકરણથી લાઇન ક્ષમતામાં વધારો થશે, જેના કારણે ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુચારુ બનશે. પરિણામે મુસાફર ટ્રેનોની સમયપાલનમાં સુધારો થશે, પીક સમયમાં સંચાલન સરળ બનશે તેમજ નવી ટ્રેનો અથવા વધારાના ફેરાઓની શક્યતાઓ વધશે.
ગોપાલપુર નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદ તરફથી આવતી ગાડીઓને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેના કારણે આશરે 20–25 મિનિટનો સમય બચશે. આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી ટ્રેનોને દિશા પરિવર્તન કરવું પડશે નહીં, પરિણામે સમય અને ઇંધણ બંનેની બચત થશે અને સંચાલન વધુ સરળ બનશે.
આ પ્રોજેક્ટથી કંડલા તથા મુન્દ્રા બંદરો સાથે જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, અનાજ તેમજ અન્ય માલના પરિવહનમાં ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનોનો વધુ સારો ઉપયોગ શક્ય બનશે તથા લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે ઉદ્યોગો અને વેપારને સીધો લાભ મળશે. સાથે સાથે આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, વેપાર, પર્યટન અને રોજગારના અવસર વધારવા તેમજ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં સહાયક સાબિત થશે.
ગાંધીધામ–આદિપુર ચૌહરીકરણ તથા ‘વાય’ કનેક્ટિવિટી પ્રોજેક્ટ ક્ષેત્રીય વિકાસ અને મજબૂત રેલ અવસંરચનાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે કચ્છ ક્ષેત્રના સામાજિક–આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.